Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 654
________________ સ્વ. શ્રીમાન શેઠ શ્રી જીવરાજ ભાઈના પવિત્ર જીવનને ટૂંક પરિચય જ્ઞાન, ધ્યાન અને વ્રતનું સતત શ્રદ્ધાપૂર્વક આરાધન કરી પોતાના જીવનને પવિત્ર અને આદર્શ બનાવનાર પરમ પદના અધિકારી કેવળ જ્ઞાનોપાસક ધર્મજીવી શેઠ. શ્રી જીવરાજ ભાઈ મૂળચંદનો જન્મ ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાં સંવત્ ૧૯૩૧ના આ સુ. ૫ સને ૧૮૭થના એબર માસની પાંચમી તારીખે સૌરાષ્ટ્ર ભૂમિના ઈતિહાસમાં પ્રસિદ્ધ એવા ધ્રાંગધ્રામાં થયું હતું. તેમના પિતા શ્રી મૂળચંદભાઈ પણ ધર્માનુરાગી પવિત્રાત્મા હોવા ઉપરાંત એક સારા વ્યાપારી સદ્ ગૃહસ્થ હતા. તેમજ સર્વ જી પર પ્રેમાળ એવા અને નામને અનુરૂપ ગુણવાળા પ્રેમાભાઈ નામના તેમના માતુશ્રી હતા ઉભય દંપતીનું ગાર્ડયજીવન જપ તપ રૂપ ધર્મની આરાધના પૂર્વક પરમ શાંતી પૂર્વક નું હતું આ રીતે પરમ ધર્માનુરાગી માતા પિતા અને અન્ય ધર્મ પ્રાણ કુટુંબીજનેના ઉત્તમ ધર્મ સંસ્કારોથી અને વ્યવહારિક નીતિમત્તાને લઈ શ્રી જીવરાજ ભાઈનું ભૌતિક જીવન સમૃદ્ધિમય બન્યું અને જેમ જેમ સમૃદ્ધિનો આવિર્ભાવ થયો તેમ તેમ તેમના અંગે અંગમાં જ નહીં પણ અંગના અણુએ અણુમાં જપતપવ્રત અને જ્ઞાન ધ્યાન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ દઢ બની. બાલ્યાવસ્થાથીજ ધાર્મિક સંસ્કારના સિંચન ને લઇ તેમની ધર્મભાવનાની ઉકટ પ્રબળતાને લીધે તેઓ ભૌતિક વિદ્યાના અભ્યાસમાં છે. ૭ થી આગળ વધી ન શકયા. અને એજ રીતે પૂર્ણ રીતે શકિત અને સવડ હોવા છતાં વારસામાં મળેલા વ્યાપાર ધંધા પ્રત્યે એમની રૂચી ઓછી હતી. કારણ કે તેઓ માનતાં કે સર્વથા વ્યવહાર કર્મબંધનનું કારણ છે. અને તેથી જ આત્મચિંતવન અને ધર્મ, પ્રત્યે એમની ભાવના અપ્રતિમ હતી. બલ્યકાળથી જ એમણે અનેક પૂજ્ય વિદ્વાન સાધુઓના સંસર્ગ અને તેઓના ધમેપદેશના પ્રવચન સાંભળીને તથા તેને મનન ચિંત્વન કરીને જૈન ધર્મના રહસ્યને નિભ્રમ પરિચય મેળવ્યું હતું. અને એ ઉપદેશેલ વિષયનું ધર્મગ્રંથ દ્વારા વાંચન પણ કરી સારી રીતે સંશય રહિત બની ગયા હતા. વળી જૈન ધર્મના આગમનું જ નહીં પણ અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથનું પણ તેમણે સારી રીતે વાંચન કર્યું હતું. તેમને ભગવતી સૂત્ર પ્રત્યે ખાસ અનુરાગ હતું. અને તેથી તેનું વાંચન તેમણે અનેકવાર કરેલું પરમ પૂજ્ય મ. સા. કેશવલાલજી મ. સા. ને ધર્મોપદેશ શ્રવણ અને તેમના સંગરંગમાં તેઓ ખૂબ રંગાયા હતા. અને તેમના પરમભક્ત બન્યા હતા. તેથી તેઓ જ્યારે જ્યારે ધ્રાંગધ્રા પધારતા ત્યારે તેઓ મહારાજ શ્રીની સેવા માટે અમદાવાદથી ધ્રાંગધ્રા અચૂક પહોંચી જતા. જીવાભિગમસૂત્રા

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656