Book Title: Agam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 76
________________ સૂત્ર-૬૨ થી ૬૪ ૧૩૩ સંકલ્પ ઉત્પન્ન થયાને જાણો છો . જુઓ છો, ત્યારે કેશીકુમાર પ્રમાણે પ્રદેશી રાજાને કહ્યું – નિશે હે પ્રદેશી ! અમને શ્રમણ નિગ્રન્થોને પંચવિધ જ્ઞાન કહ્યા છે - આભિનિબોધિકજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તે અભિનિબોધિક જ્ઞાન શું છે ? અભિનિભોધિક જ્ઞાન ચાર ભેદે કહ્યું છે – અવગ્રહ, ઈહા, અપાય, ધારણા તે અવગ્રહ શું છે ? અવગ્રહ બે ભેદે કહ્યો છે. નંદીસૂત્ર મુજબ “તે આ ધારણા” ત્યાં સુધી બધું કહેવું. તે આ અભિનિબોધિક જ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન શું છે ? શ્રુતજ્ઞાન બે ભેદે કહ્યું છે – આંગપવિષ્ટ અને અંગ બાહ્ય. બધું નંદીસૂત્ર વત દૈષ્ટિવાદ સુધી કહેવું. અવધિજ્ઞાન ભવપાયિક અને @flયોપથમિક છે, નંદીસૂકવતુ કહેવુંમન:પર્યવજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ બે ભેદ છે, પૂર્વવતુ. કેવળજ્ઞાન, તે પ્રમાણે બધું જ કહેવું. તેમાં જે અભિનિબોધિકજ્ઞાનથી મન:પર્યવજ્ઞાન છે, તે માટે છે. કેવળજ્ઞાન મારે નથી, તે અરિહંત ભગવંતોને જ હોય છે. આ ચતુર્વિધ કાશ્ચિક જ્ઞાનો દ્વારા હે પ્રદેશી હું તારા આવા મનોગત રાવત સંકલાને જણું છું - જોઉ છું • વિવેચન-૬૨ થી ૬૪ - અશોનો ખેદ, આપણી ગ્લાનિને સમ્યક દૂર કરીએ. જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન શબ્દો એકાર્જિક છે, તે મૌખર્યના પ્રકર્ષના પ્રતિપાદનાર્થે કહ્યા છે. શોભા, લાયુક્ત છે - x • દેદીપ્યમાન શરીરવાળા છે. તેનું કારણ વિચારે છે - કયો આહાર કરે છે ? કુથિત નથી આવી શરીરકાંતિ ન હોય. - X - આને ગ્રહણ કરેલ આહાર કઈ રીતે પરિણામ પામે છે ? શોભનાહાર છતાં મંદાગ્નિ હોય તો આવી કાંતિ ન થાય. વળી શું ખાય-પીએ છે ? શું આપે છે ? - x• જેથી આટલા લોકો પર્યપાસે છે ? - * * * * તેના મોટા અવાજથી અહીં મારી જ ઉધાન ભૂમિમાં હું સ્વેચ્છાએ વિચરવા શક્તિમાન થતો નથી. આ પ્રમાણે પોતાના ચિત્તમાં ભાવના ભાવે છે. ચિત્ત સારથીને કહ્યું, ઈત્યાદિ. પરમ અવધિથી નીચેનું જ્ઞાન, અન્ન વડે પ્રાણ ધારણ કરનાર. જેમ કોઈ સાંક-શંખમણિ રનનો વેપારી જકાત ન ચૂકવવાના વિચારથી સાચો માર્ગ પૂછતો નથી. એ પ્રમાણે તું પણ છે. અવગ્રહ - શેષ કે વિશેષની વિવક્ષા વિના સામાન્ય રૂપના નિર્દેશ વિના રૂપાદિનું અવગ્રહણ. તેના અર્થગત અસભૂત-સત વિશેષ આલોચના તે ઈહા. પ્રકાંત અર્થ વિશેષ નિશ્ચય તે અપાય. અવગત અર્થ વિશેષનું ધારણ તે ધારણા. શેષ ‘નંદી' સૂત્ર મુજબ જાણવું. • સૂત્ર-૬૫,૬૬ - ૬િ૫] ત્યારે તે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આમ પૂછયું - ભkત! હવે હું અહીં બેસે ? હે પ્રદેશ આ ઉધાનભૂમિ તારી પોતાની છે, માટે તું પણ. ૧૩૮ રાજપનીયઉપાંગસુત્ર - સટીકઅનુવાદ ત્યારે તે પ્રદેશ રાજ ચિત્ત સારથી સાથે કેશીકુમાર શ્રમણની કંઈક સમીપે બેઠો. કેશીકુમાર શ્રમણને કહ્યું – ભઈલા આપ શ્રમણ, નિન્યોને આવી સંજ્ઞા, આવી પ્રતિજ્ઞા, આવી દષ્ટિ, આવી રુચિ, આવો ઉપદેશ, આવો સંકલ્પ, આવી તુલા, આવું માન, આવું પ્રમાણ કે આવું સમોસરણ છે કે – જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી ? ત્યારે કેશીકુમારે તેને કહ્યું – હે પ્રદેશી ! અમને શ્રમણ નિગ્રન્થોને આવી સંજ્ઞા યાવતુ આવો સિદ્ધાંત છે કે જીવ અને શરીર જુદા છે, તે બંને એક નથી. ત્યારે પ્રદેરીએ કેશીક્રમણને કહ્યું – ભદતા તમને શ્રમણ નિભ્યોને જો આવી સંજ્ઞા યાવત સિદ્ધાંત છે કે જીવ અને શરીર બંને જુદા જ છે. તો મારા દાદા હતા, તે આ જ જંબૂદ્વીપ હીપની સેયવિયા નગરીમાં આધાર્મિક યાવતું પોતાના જ જનપદના સમ્યફ ભરવૃત્તિમાં પ્રવાિ ન હતા. તે આપની વક્તવ્યતા મુજબ ઘણાં જ પાપકર્મો કરી કલિકqષ સમર્જિત કરી કાળમાસે કાળ કરીને કોઈ એક નકમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય. તે દાદાનો હું ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, રોય, વિકાસ, સંમત, બહુમત, અનુમત, રન રેડક સમાન જીવનના શ્વાસ સમ, હૃદયને આનંદ આપનાર, ઉંબરના પુરુષ સમાન, નામ પણ શ્રવણ દુર્લભ હોય તો દશનનું કહેવું જ શું? એવો પુત્ર હતો. તેથી જે મારા દાદા આવીને મને આ પ્રમાણે કહે કે – હે પત્ર, હું તારો દાદા હતો. આ જ સેવિયાનગરીમાં અધાર્મિક યાવતું સમ્યફ કરભરવૃત્તિથી પ્રવર્તતો ન હતો. તે કારણે હું અતિ કલુષિત પાપકર્મો કરીને નરકમાં ઉત્પન્ન થયો છું. તેથી તે પૌત્ર ! તું અધાર્મિક ન થતો યાવત કરભરવૃત્તિમાં પ્રમાદ ન કરતો, તું આવા અનેક પાપકમ ન કરતો યાવત્ નકમાં ઉપજીશ. તો જે મારા દાદા અહીં આવીને મને કહે તો હું આપના કથનની શ્રધા, પ્રતીતિ, રુચિ કરું કે જીવ અન્ય છે અને શરીર માન્ય છે, જીવ એ જ શરીર નથી. જ્યાં સુધી મારા દાદા આવીને આમ ન કહે, ત્યાં સુધી આયુષ્યમાન શ્રમણ ! મારી પ્રતિજ્ઞા સુપ્રતિષ્ઠિત છે. જીવ એ જ શરીર ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજાને કહ્યું - હે પ્રદેશી ! તારે સૂર્યકાંતા નામે રાણી છે? હા, છે. હે પ્રદેશી ! જો તું સૂર્યકાંતા રાણીને સ્નાન કરી, ભલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકારથી વિભૂષિત થઈ, કોઈ પુરુષ કે જે નોન કરેલ યાવતુ સવલિંકાર વિભૂષિત હોય તેની સાથે ઈષ્ટ શબદસ-રસ-રૂ-ગંધયુક્ત પંચવિધ માનુષી કામભોગ અનુભવતો હોય છે તે જોઈ છે, તો તે પ્રદેશી ! તું તે પુરુષનો શો દંડ નિશ્ચિત કર? ભદેતા હું પુરુષના હાથ છેદી નાંખુ, તેને શૂળી ઉપર ચઢાવી દઉં, ભૂળથી ભે, પણ છેદી નાબુ, એક જ શ કરીને તેને જીવિતથી રહિત કરી દઉં. - - હે પ્રદેશી ! હવે તે પરષ તને કહે કે - હે સ્વામી ! મુહૂર્ત માત્ર રોકાઈ

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86