Book Title: Adhyatma Shanti
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 100
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૫). સુધારી વાંચશો, હું કંઈ પંડિતાઈ જણાવવા લેખ લતે નથી. મારી એવી બુદ્ધિ નથી. એક ઉપકાર બુદ્ધિ મને પ્રયત્ન કરાવે છે. બીજાને ઉપકાર કરવાની બુદ્ધિથી જે ધર્મકૃત્ય કરવામાં આવે છે તેમાં નિશ્ચયથી ઉપકાર બુદ્ધિવંતને તો ફાયદો થાય છે, અને બીજાને ફાયદો થાય અગર નહીં થાય તે નકી નથી. દોષ દેખવાની બુદ્ધિ દુષ્ટ માણસોને રહે છે, તેનાથી આ ગ્રંથ દૂર રહે, કારણ કે તેમને તો આ ગ્રંથ હિતા ક્ત નથી, ઉલટ કર્મબંધ થશે. અને જે ગુણગ્રાહી છે તેમને આ ગ્રંથ સંસારરૂપ સમુદ્ર ઉતરતાં વહાણ સમાન છે. દુષ્ટ દુજનોને આ ગ્રંથ વિષ સમાન લાગશે અને સજનોને આ ગ્રંથ અમૃત સમાન લાગશે એ પણ એક આશ્ચર્ય છે. - સૂર્યનો ઉદય થતાં કાગડાઓ કાકા શબ્દ કરે છે, પણ તેથી સૂર્યને અડચણ આવતી નથી તેમ આ ગ્રંથને ઉદય થતાં એકાંતગ્રાહી નિંદા કરશે, પણ તેથી આ ગ્રં. થની ન્યુનતા નથી. આ ગ્રંથ સાગર સમાન છે, સાગરમાં જેમ રત્ન રહેલાં છે તેમ આ ગ્રંથમાં પણ અનેક રત્નરૂપી ગુણે ભર્યા છે. છિદ્રબુદ્ધિથી જે આ ગ્રંથરૂપ સાગરને મથન કરવામાં આવશે તે વિષ નીકળશે અને ગુણગ્રાહક બુ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105