Book Title: Aashirwad 1967 06 Varsh 01 Ank 08
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 63, 0 3 સાવિત્રીચરિત્ર તે પૂર્વે ભદ્ર દેશમાં અશ્વપતિ નામના ધર્મનિષ્ઠ રાજા હતો. તેને સાવિત્રી નામની એક રૂપ તી અને શીલવતી કન્યા હતી. કન્યા યુવાન થઈ એટલે રાજા અશ્વપતિ તેના વિવાહની ચિંતા કરવા લાગ્યા તેમણે સાવિત્રીને કહ્યું : “બેટી, હવે તું વિવાહ યોગ્ય થઈ છે, એથી તું જાતે જ તારે યોગ્ય વર શોધી લે. ધર્મશાસ્ત્રની આશા છે કે જે પિતા વિવાહ યોગ્ય થયેલી પુત્રીનું કન્યાદાન નથી કરતો તે નિંદને ય છે. એથી તું હવે જલદી વર શોધી લે, જેથી હું દોષિત ન બનું.” સાવિત્રીએ કંઈક સંકોચાઈને પિતાની આજ્ઞાને ' સ્વીકાર કર્યો. તેણે વર શોધવા નીકળવાનો વિચાર કર્યો અને માતાપિતાને જણાવ્યું. રાજાએ પોતાના વૃદ્ધ મંત્રીઓને સાવિત્રીની સાથે જવા કહ્યું. સાવિત્રી માતાપિતાના ચરણેમાં પ્રણામ કરી સોનાના રથમાં બેસી વૃદ્ધ મંત્રીઓની સાથે વરની શોધ માટે નીકળી. તે પૃથ્વી પરના જુદા જુદા દેશોમાં ફરી, પરાક્રમી, શુરવીર, રૂપવાન તથા નવયુવાન રાજાઓ અને રાજકુમારોને તેણે જોયા, પણ તેમાં તેને પિતાની પસંદગીને વર મળ્યો નહીં. પછી તે વતોમાં, ઋષિએ ના તપોવનમાં અને જુદા જુદા પ્રદેશમાં શોધ કરવા લાગી. એક દિવસ રાજા અશ્વપતિ પોતાની સભામાં આવેલા દેવર્ષિ નારદની સાથે વાતો કરી રહ્યા હતા. આ જ સમયે મંત્રીઓ સહિત સાવિત્રી પણ સ્થળે ફરીને પિતાની પાસે આવી પહોંચી. તેણે પિતાજી અને નારદજીના ચરણોમાં પ્રણામ કર્યા. તેને જોઈ નારદે કહ્યું : “તમારી આ પુત્રી કયાં ગઈ હતી અને હવે ક્યાંથી આવી રહી છે ?” અશ્વપતિએ કહ્યું : “એને મેં પોતાને માટે વર શોધવા મોકલી હતી તે આજે ૫છી આવી છે. આપ તેને પૂછે કે તે કયો વર પસંદ કર્યો છે ?' અશ્વપતિએ સર્ષ બાગળ બધે વૃત્તાન્ત જણાવી દેવા સાવિત્રીને કહ્યું. પિતાની વાત માની સાવિત્રી કહેવા લાગી : “શાવ દેશમાં ઘુમસેન નામના એક વિખ્યાત અને ધર્માત્મા રાજા હતા. પાછલી અવસ્થામાં તેઓ અખે અધિળા થવાથી અને તેમના પુત્રની બાલ્યાવસ્યા હેવાથી નજીકના રાજાએ તેમનું શ્રી મથાબંદુ રાજ્ય પડાવી લીધું. હવે તેઓ પોતાના પુત્ર અને પત્ની સાથે વનમાં રહે છે અને વ્રતો તથા તપસ્યામાં જીવન પસાર કરે છે. તેમના પુત્ર સત્યવાન વનમાં તેમની સાથે રહી તેમની સો કરે છે. તેઓ હવે થે ગ્ય ઉંમરના થયા છે. તેમને જ મનથી મારા પતિરૂપે વરી છું.” આ સલળી નારદે કહ્યું : “રાજન, બહુ ખેદની વાત છે સાવિત્રીથી મહાન ભૂલ થઈ ગઈ છે. જોકે સ યવાન સે સમાન તેજસ્વી છે, બૃહસ્પતિ સમાન બુદ્ધિમાન છે, રૂપવાન અને સર્વ ગુણથી સંપન્ન છે, પરંતુ તેનામાં એક જ દેષ છે. એને લીધે તેના બધા ગુણો દબાઈ જાય છે. વળી એ દેષ કઈ રીતે દૂર કરી શકાય એવો નથી. તે દોષ એ છે કે હવે એક જ વર્ષમાં સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ જશે અને તે દેહત્યાગ કરશે.” આ સાંભળી અશ્વપતિએ સાવિત્રીને કહ્યું : બેટી, તું ફરીથી જા અને કોઈ બીજા વરની શોધ કર. દેવર્ષિ નારદજી કહે છે કે સત્યવાન તે અપાયુ છે. તે એક જ વર્ષ માં દેહત્યાગ કરી દેશે.” સાવિત્રી કહે છે : “પિતાજી, પથ્થર, લ કડી વગેરેને ટુકડે એક જ વખત તેમનાથી ો પડે છે. પછી ફરીથી તે સંધતો નથી. કન્યાદાન પણ એ જ વખત કરી શકાય છે. હવે તો એક વાર મેં જેમનું વરણ કરી લીધું છે તે ભલે દીર્ધાયુ હેય અથવા અપાતુ, તથા ગુણવાન હોય કે ગુણહીન, તેઓ જ મારા પતિ થશે. હવે હું બીજા કોઈ પુરુષને વરી શકું નહીં. પહેલાં મનથી નિશ્ચય થાય છે અને પછી વાણીથી બોલાય છે અને તે પછી તે પ્રમાણે ક્રિયા થાય છે. માટે આમાં મારું મન જ પરમ પ્રમાણ છે.' સાવિત્રીનું કહેવું સાંભળી નારદજી અશ્વપતિને બો૯યા : “રાજન, તમારી પુત્રીની બુદ્ધિ નિશ્ચયાત્મક છે. એથી તે ધર્મથી ચલિત થશે નહીં. સત્યવ ન સદાચારી અને સત્યવાળો છે. તેનામાં જે ગુણો છે તે બીજા કામ નથી. તેથી આ૫ તેને જ કન્યાદાન કરે એ જ મને ઠીક લાગે છે.” નારદજીનો સલાહ સ્વીકારી રાજાએ વિવાની તૈયારી કરી રહ છાલ અને પુરોહિતને લઈને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25