________________
મીનળ કહે છે. એક પળ, તે રાતે મુંજાલ હતું તે થઈને રહે. શું મુંજાલ ! એ મુંજાલ !” કહી રાણી પાસે આવી અને મુંજાલના હાથ પકડવા ગઈ, તે એકદમ પાછો હટી ગયે. રાણીની ફાટેલી આંખોએ અને જવલંત મુખ ઉપર જે અગ્નિ દેખાતું હતું, તેણે તેને પણ બાળવા માંડશે.” આ વાક્યને શે માર્મિક અર્થ છે તે સહજ સમજાય તેમ છે. શ્રીયુત મુનશી આ જગ્યાએ ચેખે ચેખું હૃદયલગ્નને કેરે મૂકી, દૈહિક લગ્નની તૈયારીઓ કરાવે છે. બન્ને કામથી ઉત્તમ છે. પણ મુંજાલ છેવટે રાણીને, ચડી, પટકી, ન્યાસી જાય છે. આ ઉપરથી “તે રાતે હતું તે થઈને રહેને અર્થ “તે વખતે તે શું કર્યું......” એ શું સુચવે છે? માત્ર એટલું જ સુચવે છે કે જે દૈહિક સંબંધ અહીંયા અધુરો રહેશે તે તે રાત્રે અમલમાં મૂકાયલે. આથી આપણે જોઈએ છીએ કે રા. મુનશીએ મીનળ અને મુંજાલને દૈહિક સંબંધ પણ જણાવેલ છે. શ્રીયુત મુનશી ઉપર તે પળે પળે તેમને શુદ્ધ પ્રેમ હતું અને હૃદયલગ્ન હતાં એમ લખ્યા કરે છે, પણ મને લાગે છે કે તેમના ધ્યાન બહાર આ દૈહિક સંબંધ આલેખવામાં આવ્યું હશે. રા. મુનશીએ આ પ્રમાણે
છાનુસાર ગમે તે ઘસડી કાઢી કલ્પનાના ઘેડ દેડાવી ગુજરાતના ઇતિહાસને કલંકિત કર્યો છે. આ ઐતિહાસિક ઘટનાઓના ખૂન વિષે દરેકજણ શ્રીયુત મુનશીની વિરૂદ્ધ પડયું છે, છતાં કલાવિધાન અને આવા લેખકે એ આવું કર્યું હતું એવા વાંધા ઉઠાવી રા. મુનશીનું કહેવું પ્રતિપાદન કરનારા, સત્યની હત્યામાં સદાચાર ગણનારા કેટલાક ભાઈઓ છે, જે ઘણે ભાગે મુનશીના પ્રશંસકેજ છે. આ વિષય ઉપર વિવેચન આગળ કરવામાં આવશે.”
1
મુજાલનો દૈહિક
એ છે કે તેમના વાલીઓ અને તેમને શુદ્ધ પ્રેમ
રા. મુનશીની “પાટણની પ્રભુતા' એ એક મિલિક કૃતિ નથી, એમ વાંચકવર્ગ આથી સારી રીતે સમજી શકશે. ઈયલમ.”
મેં રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓનાં સંબંધમાં જે આક્ષેપ “પ્રજાબંધુ' ના રિખ મહોત્સવના વિશેષ અંકમાં કર્યો હતો તે આક્ષેપ રા. રામચંદ્ર શુકલના આ તુલનાત્મક લેખથી અક્ષરશઃ સિદ્ધ થઈ ગયો છે અને વધે વાહે ગાયતે તત્ત્વો: એ નિયમ અનુસાર રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓના સંબંધમાં ગત વર્ષથી આરંભાયેલી સાધક તથા બાધક ચર્ચાના પરિણામે જે સત્ય હતું તે પ્રકાશમાં આવી ગયું છે. એટલે હવે કોઈપણ વિચારશીલ મનુષ્યથી રા. કનૈયાલાલ મુનશીની પાટણની પ્રભુતા' તથા ગુજરાતનો નાથ' આદિ નવલકથાઓને ગુજરાતના ગૌરવને વધારનારી ઐતિહાસિક નવલકથાઓ તરીકે ઓળખાવવાની ધૃષ્ટતા કરી શકાય તેમ છેજ નહિ અને જે કંઈ મનુષ્ય એવી ધૃષ્ટતા કરશે તે તેનું કથન પક્ષપાતના પરિણામ કિવા પાગલના પ્રલાપની કેટિનું જ મનાશે એ સર્વથા નિર્વિવાદ છે.
હવે ઐતિહાસિક નવલકથાઓ શા કારણથી લખવામાં આવે છે એ વિષયને આપણે કિંચિ વિચાર કરીશું. ઇતિહાસનો વિષય અત્યંત ગંભીર તથા ગહન હેવાથી સંસારના અન્ય વ્યવસાયમાં સંલગ્ન થયેલા સર્વસાધારણ મનુષ્યોથી ઈતિહાસને અભ્યાસ કરી શકાતું નથી, અને તેથી કેઈપણ દેશના માનવ સમાજની ભાવિ ઉન્નતિ માટે તેના પિતાના દેશનું, તેની પિતાની જન્મભૂમિનું જે ઐતિહાસિક જ્ઞાન અત્યંત આવશ્યકીય મનાય છે તે એતિહાસિક જ્ઞાનથી સર્વસાધારણ જનસમાજ સર્વથા વંચિત રહી જાય છે. ભૂતકાળને ઇતિહાસ ભાવિ ઉત્કર્ષના માર્ગને સૂચક હેવાથી સર્વસાધારણ જનસમાજ પિતાની જન્મભૂમિના ભૂતકાલિક ઈતિહાસના જ્ઞાનને કોઈપણ પ્રકારના વિશેષ દ્ધિક પરિશ્રમ તથા ગહન અભ્યાસ વિના સહજ મેળવી શકે એટલા માટે વિચારશીલ તથા વિદ્વાન પુરૂષોએ ઈતિહાસને ઐતિહાસિક નવલકથાના મનોરંજક સ્વરૂપમાં સર્વસાધારણ માનવસમાજ સમક્ષ રજૂ કરવાના અને ઐતિહાસિક નવલકથાઓ દ્વારા સર્વ સાધારણ માનવ સમાજમાં ઐતિહાસિક જ્ઞાનને પ્રસારવાના સરલ માર્ગને શોધી કાઢય છે એ નવીનતાથી દર્શાવવાની આવશ્યકતા હોય એવી મારી માન્યતા નથી. આવી રીતે સર્વ સામાન્ય જનસમુદાયમાં ઐતિહાસિક જ્ઞાનને મનોરંજકતાપૂર્વક પ્રસાર કરે એજ ઐતિહાસિક નવલકથાને એક માત્ર પ્રધાન ઉદ્દેશ હોવાથી ઐતિહાસિક