SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન સાહિત્ય પર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઇ હતી, એટલે બધાના પાઠે એક સરખા કરવામાં આવ્યા હતા. ઉપર્યુકત વલભીપુરમાં દેવહિઁગણિ ક્ષમાશ્રમણે (વીરાત્ ૯૮૦ અથવા ૯૯૩) સાધુનુ` સંમેલન ભરી જૈન સૂત્રેા-અંગાને લેખારૂઢ કર્યાં હતા એમ તે સંબંધી જણાવવામાં આવ્યું છે. ( સ. ૧૮૩૩ના પ આત્મ પ્રોાધનુ` ભાષાંતર પૃ. ૮૪) આમ ત્યારે (૧) · મગધની પરિષદ્' (૨)‘સંધ’ અને (૩) ‘વાચના' એ બાબતેામાં ગુજરાતી પત્રમાંના વિદ્વાન્ અવલેાકનકારના ભ્રમ જણાશે. પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબાઇ. પર્યુષણુપર્વ. તા. ૯–૯–૧૫ 2 માહનલાલ દલીચંદ દેશાઇ, મધ્યકાલીન સાહિત્ય પર સાક્ષર શ્રી કૃષ્ણલાલભાઇ ઉપાશ્ર્ચાત [ આનદકાન્ય મહાદધિનું સાતમું મૌક્તિક છપાઈ ગયાને એક વર્ષ થઇ ગયું છે પણ હજી પ્રકટ થયું નથી. તેમાં વિક્રમસત્તરમા સૈકામાં થયેલા ત્રણ જૈન કવિએ નામે કુશલલાભ કૃત મારૂઢાલા ચાપઇ અને માધવાનલ કામકુંડલા ચોપઇ, જયવિજય કૃત શુકન ચાપઈ અને સમયસુંદર કૃત ચાર પ્રત્યેક બુદ્ધુરાસ આવેલ છે. કાવ્યો અને કવિએ સંબધી વિગતવાર વિવેચન અમેાએ કર્યું છે અને તે પર વિદ્વત્તાયુક્ત ઉપાદ્ઘાત સાક્ષર શ્રી કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીએ કૃપા કરી લખી આપેલ છે તે સર્વ નવેંબર ૧૯૨૫માં છપાઇ ગયેલ છે, હવે તુરતજ પ્રસિદ્ધકર્તા શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પેાતાના એ ખેલ લખવાના હોય તે લખીને પ્રસિદ્ધ કરી જનસમક્ષ મૂકશે એવી આશા રાખીશું. આ ઉપાદ્ધાતને બહાર આવવામાં બહુ વિલંબ થયેા છે તેથી વધુ વિલબ થાય તે અંતન્ય ધારી. તેમાંના ઉપયોગી ભાગ અમે અત્ર પ્રકટ કરીએ છીએ. તંત્રી ] ગુજરાતી સાહિત્યના મધ્ય યુગ અને તેની પણ પૂના યુગ માટે આજથી પચ્ચીસ વર્ષપર જે જે અભિપ્રાયા બંધાએલા તે, નવાં નવાં પુસ્તકા હાથ લાગવાથી કાલક્રમે બદલાતા ગયા છે. દાખલા તરીકે નરસિંહમહેતાને આદિ કવિનું સ્થાન આપવામાં આવતું, અને સાથે સાથે એવા પણ અભિપ્રાય આપવામાં આવતા કે નરસિંહ મહેતાના સમય પહેલાં ગુજરાતી સાહિત્ય હતુંજ નહિ; તેને આરંભ નરસિંહ મહેતાનાં કાવ્યાથીજ થયા. એ અભિપ્રાય ભૂલ ભરેલા માલમ પડયા છે. વળી વાર્તાના સાહિત્ય માટે સામળભટ્ટને મુખ્ય પદ આપવામાં આવતું તે પણ ચેોગ્ય ન હતું એમ સમજાય છે. ખુદ પ્રેમાનંદનાં કારણ હજી જૈન ભંડારામાં અને જૈનેતર વ્યક્તિઆનાં કબજામાં એટલા બધા અપ્રસિદ્ધ લેખા પડી રહેલા છે કે તે જેમ જેમ પ્રસિદ્ધ થતા જશે તેમ તેમ હાલ બાંધેલા અભિપ્રાય પણ ફેરવવા પડશે. આપણા જૂના સાહિત્ય સંબંધે હાલના જમાના અનિશ્ચિતપણાને -transitional period ના છે. અંગ્રેજીમાં Chaucer અને Spenser નાં તેમજ તેમના વખતના બીજા નાના કવિઓનાં કાવ્યા સઘળાંજ પ્રસિદ્ધ થઇ ગએલાં હોવાથી જૂના અંગ્રેજી સાહિત્ય વિષે નિશ્ચયપૂર્વક અભિપ્રાય બાંધી શકાય; રૂકી અને એવાજ એ ચાર ખીજા કવિઓની કૃતિ સંપૂર્ણપણે બહાર આવેલી હાવાથી અસલી ફારસી કાવ્યાનું વસ્તુ પણ એના પુરાગામી કવિઓની કૃતિ-સાહિત્યના ગુણુદેાષ વિશે નક્કીપણે વિચાર દર્શાવી આમાંથી મળી આવે છે. ઘણાં પ્રાચીન કાવ્યા જે અપ્રસિદ્ધ પડી રહેલાં તે પ્રસિદ્ધિમાં આવવાથી જૂના અભિપ્રાય ફેરવી નવા બાંધવામાં આવ્યા છે, અને હાલ જે અભિપ્રાય બંધાયા છે તે પણ સ્થાયિ નથી, શકાય; પરંતુ જૂના :ગુજરાતી તેમજ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે તેમ કહેતાં હવે ખચાવું પડે છે, તેનું કારણ દિવસે દિવસે અજવાળામાં આવતાં નવાં નવાં સાધન. નરસિંહ, સામળ, પ્રેમાનંદની
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy