________________
તત્ર
તારા માં. પવન પર કર્યો અને આખરી થઇ ભાવસાર
વ ધી છે તેથી તેનું નામ અને વિરોધ પવિગત . આ નાક ઉતા તેને આધાર મુખમાં માં
૨૫૮
જૈન યુગ
માહ ૧૯૮૩ શમામૃત (છાયા નાટક) [ મુખ્ય અનુવાદક:–રા. ભોગીલાલ અમૃતલાલ ઝવેરી B. A, LL. B. 1 [ આ નાટકનું ગદ્યમાં ભાષાંતર રા. રા. ઝવેરીએ કર્યું. શ્લોક ગાથાને અર્થ પણ ગદ્યમાં મૂક્યો, અમે અત્ર તત્ર સુધારા વધારા કર્યા. પદ્યનું પદ્યમાં ભાષાંતર કરવા રા. બાબુલાલ મેતિલાલ મેદીને સંપ્યું. તેમણે તે કર્યું તેમાં પણ અમેએ વિશેષ સુધારા વધારા કર્યા અને આખરે આમ ત્રણના પ્રયત્ન વડે થયેલ ભાષાંતર અત્ર મુક્યું છે. મૂળ સંસ્કૃતમાં છે ને તે મુનિશ્રી ધર્મવિજયજી સરોધિત થઈ ભાવસાર વનમાળી. ગેવિંદજી મુ. કેળીયાક (હાલ વેરાવળ) તરફથી સં. ૧૯૭૯ માં પ્રસિદ્ધ થયેલ છે. આ નાટકનું વસ્તુ શાંતિરસપ્રધાન છે તેથી તેનું નામ
શમામૃત ” આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે શંગારરસપ્રિય લોકે છે તે તેને આવું શાંતિરસપ્રધાન નાટક કેમ પસંદ પડે એવો પ્રશ્ન નાટકકારેજ ઉઠાવી નટીના મુખમાં મૂકી તેને ઉત્તર પણ સૂત્રધારના મુખમાં આપ્યો છે. જૈન ધર્મ એ ત્યાગપ્રધાન ધર્મ છે, અને જૈનાચાર્યોએ જ્યાં ત્યાં ત્યાગનાં માહાત્મ ગાયાં છે છતાં જેનકથાઓમાં શૃંગારરસ અત્ર તત્ર દેવામાં આવે છે ને કયાંક તેને પલ્લવિત પણ કર્યો છે પણ છેવટમાં તે ત્યાગને વિજયજ જોવામાં આવે છે. આ નાટકની વસ્તુ યાદવકુલના શ્રમણ ભગવંત નેમિનાથના ચરિત્રની છે. તે ૨૨ મા જૈન તીર્થકર છે, અને આજન્મબ્રહ્મચારી રહી દીક્ષા લઈ આખરે ગિરિનાર પર્વત પર સિદ્ધિ પામ્યા છે. નાટકનો પ્રારંભ નેમકુમાર ઉગ્રસેનની પુત્રી રાજીમતિને સ્વજનના આગ્રહથી પરણવા માટે રથમાં બેસી વરઘોડે ચડી ઉગ્રસેનના મહાલય તરફ જાય છે અને ત્યાં પુરેલાં બૂમ પાડતાં પશુઓને પેખી દયાદ્રિ થઈ લગ્ન ન કરવાનો નિશ્ચય જણાવી પશુઓને છેડાવે છે. પોતે પાછા ફરતાં લોકાંતિક દે તેમને તીર્થપ્રવર્તન કરવાની વિનતિ કરવા આવે છે. છેવટે આશીર્વાદ પૂર્વક નાટકની પૂર્ણાહુતિ થાય છે.
આટલી ટુંક વસ્તુ લઈને કવિએ કાવ્યરસ છલકાવ્યો છે અને પિતાની પ્રતિભા દાખવી છે. કવિએ પોતાનું નામજ કે પિતા સંબંધી કંઈ પણ હકીક્ત આપી નથી; છતાં તેને સમય જાણવા માટે એટલું તે કહી શકાય કે મહોપાધ્યાય વિનયવિજયજીએ સં. ૧૬૯૬ માં રચેલી કલ્પસૂત્રપર સુબેધિકા ટીકામાં આ નાટકમાંથી ઘણે ખરા ભાગ થોડા ઘણું ફેરફાર સાથે શ્રી નેમિનાથનું ચરિત્ર વર્ણવતાં લીધો છે તેથી તે પહેલાંની આ કૃતિ છે એ નિશ્ચિત છે. જે પ્રત પરથી સંશોધકે આ નાટક છપાવ્યું તેના પર લખ્યા સંવત્ નથી, છતાં તે એટલું જણાવે છે કે તે પ્રતના અક્ષરે અને તેની સ્થિતિ પરથી તે વહેલામાં વહેલી ૧૫ મી સદીને ને મેડામાં મોડી ૧૭ મી સદીની હોઈ શકે. આમ જે હોય તો આ નાટકને સમય પણ તે જ સ્વીકારી શકાય. તંત્રી જૈન યુગ. ]
પાત્ર. નેમિકુમાર ... બાવીસમા તીર્થકર સારથિ
શ્રી નેમિકુમારને રથ હાંકનાર રાજીમતી.. ઉગ્રસેન રાજાની પુત્રી ચંદ્રાનના . મૃગલોચના રામતીની સખીઓ સમુદ્રવિજય” શ્રી નેમિકુમારના પિતા શિવાદેવી . સમુદ્રવિજયની પત્ની દે . કાતિક દેવતાઓ મંગલાચરણ અનુણ્ષ શિવા સનું જિન એવા, અમારૂં શિવ તે કરો, નિવૃત્તિ ઇચ્છતા જે, વિરાગી સ્ત્રી થકી રવા.
મૂળ લોકોને અર્થ-જે મોક્ષ રૂપી સ્ત્રીને ઇચ્છતા છતાં પણ સ્ત્રીઓ વિષે વિરાગી હતા તે શ્રી શિવાદેવીના પુત્ર નેમિનાથ જિન ભગવાન અમારું ક૯યાણ કરો. ૧
(નાન્દિની પછી) સૂત્રધાર–સર્વ તરફ નજર ફેરવી વિસ્મય સહિત) આર્યો! નાટકનું શ્રવણ કરો.
નટી-જેવી આર્યની આજ્ઞા.
સુત્રધાર–જેણે પિતાના ચરિત્રરૂપી ચન્દ્રિકાથી ત્રણ ભુવનના લોકોને પ્રીતી ઉપજાવી છે તે શ્રી નેમિનાથ ભગવાનના યાત્રા-મહોત્સવના પ્રસંગ પર આજે એકઠા થયેલા વિધાન સભાસદોએ મને આજ્ઞા