________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
૭ વર્ષ : (૫૦) + ૧૯૦ અંક : ૧૨ ૭ ડિસેમ્બર,૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૬ ૭ વીર સંવત ૨૫૩૭૭ માગસર વદિ-તિથિ-૩૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
અલભ્ય જ્ઞાન ગ્રંથોને પુનઃ જીવન અર્પનાર, વિરલ શ્રુતોપાસક, દર્શન પ્રભાવક, સરસ્વતી આરાધક, પરમ પૂજ્ય મુનિરાજશ્રી જંબૂ વિજયજી
‘પ્ર×જી’ના જુલાઈ અંકમાં જૈન સાધુ-સાધ્વીના માર્ગ અકસ્માતની આપણે ચર્ચા કરી હતી, અને નવેમ્બર મહિનામાં જ આ માર્ગ અકસ્માતે જૈનોના આ માર્ગદર્શકોનો ભોગ લીધો!
ગણિત માંડીએ તો પ્રતિ વર્ષે જૈન સાધુ-સાધ્વીની સંખ્યા ઓછી થતી જણાશે એવું લાગે છે. આ અત્યંત ચિંતાનો વિષય છે.
કોઈ સંસ્થાનું આ સુયોજિત કાવત્રું હોય તો સરકારે તપાસ સમિતિની રચના કરવી જોઈએ, અને જૈન સંઘોએ પણ આ દિશામાં જાગૃત બની આવા અકસ્માતોના નિવારણના ઉપાયો સત્વરે યોજવા જોઈએ. એ પણ અહિંસક રીતેજ. કોઈ પણ કાળે કે સંજોગોમાં ન્યાય કે ઉપાય માટે જૈન ધર્મના સિદ્ધાંતોની હિંસા તો થવી ન જ જોઈએ.
આ અંકના સૌજન્યદાતા :
આ બનાવો બન્યા પછી જાગૃત વિચારકોએ અનેક સૂચનો આપ્યાં જેવાં કે મુખ્ય
શ્રી મણિલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ માર્ગોની બાજુમાં જ પાદ
વિહારીઓ માટે જુદી
નવમી નવેમ્બરે મહેસાણા-ઊંઝા, રોડ પર ટ્રકની હડફેટમાં ચાર સાધ્વીજીઓનો ભોગ લેવાયો, આ સમાચારની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં જ થોડાંક દિવસ પછી રાજસ્થાનના બાડમેર નજીક જૈન સાહિત્યના મહાન સંશોધક અને જ્યોતિર્ધર પૂ. જંબૂ વિજયજી મ.સા. અને એઓશ્રીના શિષ્ય મુનિશ્રી નમસ્કાર વિજયજીનો આવા અકસ્માતે જ ભોગ લીધો. હમણાં જ ડિસેમ્બર ૫-૬ના એક દૈનિકમાં સમાચાર વાંચ્યા
છૂટક નકલ રૂા. ૧૦/
કે પાટણ પાસે એક મોટરે એક સાધ્વીજીને હડફેટમાં લીધા પણ એ પગદંડીનું નિર્માણ થવું જોઈએ. ચાલવા માટે જમણી તરફ એટલે
બચી ગયા.
વિરુદ્ધ દિશા તરફ ચાલવું, જેથી સામેથી આવતા વાહનોનો ભય ન રહે. વ્હીલચે ૨સ્તાની બાજૂમાં ચલાવવી જોઈએ. પ્રત્યેક વિહારી સાધુ-સાધ્વી સાથે સંઘે માણસો મોકલવા જોઈએ અને દરેકે રેડિયમની પટ્ટી સાથેનું વસ્ત્ર પહે૨વું જોઈએ, અજવાળું થાય ત્યારે જ વિહાર કરવો જોઈએ, વગેરે, વગેરે. આ બધાં સૂચનો કેટલા વ્યવહારૂ છે એ એક ચર્ચાનો વિષય છે, પરંતુ સજાગ બનીને કાંઈક તો કરવું પડશે જ. ધર્મ કાર્ય માટે અન્યત્ર સ્થળ અને ક્રિયામાં માતબર દાનનો પ્રવાહ વહાવનાર જૈન શ્રીમંતો માત્ર એક-બે વર્ષ માટે એ ધનનો ઉપયોગ પાદ વિહારી મુનિ ભગવંતો માટે માર્ગની બાજુમાં રેલીંગ સાથે પાદચારી માર્ગના નિર્માણ માટે એ ધનના પ્રવાહને
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, સમેતશિખર વગેરે માર્ગો ઉપ૨ ચોમાસા સિવાય રોજ સેંકડો સાધુ-સાધ્વીજીઓ વિહાર કરતા હોય છે.
એક અનુમાન પ્રમાણે જૈનોના ચારેય ફિરકાના લગભગ ૧૨ હજાર સાધુ સાધ્વી-ભગવંતો હશે. છેલ્લા બે વર્ષમાં લગભગ ૩૦ સાધુ-સાધ્વી માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હશે, કેટલાક આથી વધુ બમણી સંખ્યા પણ કહે છે. પરંતુ પ્રત્યેક વર્ષે નવા દીક્ષિત સાધુસાધ્વી જૈન સંઘમાં કેટલાં પ્રવેશે છે અને કેટલા કુદરતી કાળધર્મ પામે છે અને કેટલા આવા અકસ્માતનો ભોગ બને છે એ બધાનું