SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટું અને તેના દરબારીઓ ખુશખુશ થઈ જતા હ૪. એકવાર હબીબુલાહે પૂછ્યું કે jક પવિત્ર છે કે અપવિત્ર છે? સૂરિજી કહે કે થુંક મુખમાં હોય ત્યાંસુધી પવિત્ર છે અને મુખથી બહાર જાય એટલે અપવિત્ર થઈ જાય છે. અાવી જ રીતે એકવાર આજમખાં નામના સુબેદાર પાસે અનેક ધર્મચર્ચા થશે પછી એણે હસતાં હસતાં પૂછયું આપને દીક્ષા લીધે કેટલાં વરસ થયાં? સૂરિજીએ કહ્યું બાવન વર્ષ શ્યાં. એણે કહ્યું: આપે કદી ખુદાને જોયા છે અને કોઇ ચમત્કાર જોયા છે? સૂરિજીએ કહ્યુંઃ ખુદા અરૂપી છે, તેને કોણ જોઈ શકે? મcકાર તે પૂર્વ પુરૂએ ઘણુએ જોયા છે. સૂબાએ કહ્યું: ખુદાને મુસલમાને જઈ શકે છે, હિંદુઓ નહિ. પછી એણે એક રમુજી કથા કહી. એકવાર હિન્દુ અને મુસલમાનોને વિવાદ થયો કે ખુદા પાસે હિન્દુઓ પહોચે કે મુસલમાનો પહેચે ? એક હિન્દુ પંડિત પિતાનો દેહ મૂકી પ્રભુ પાસે જવર નીકળ્યો; પણ પહોંચી ન શક્યો. પછી મુસલમાન ગયે. એ તો ખુદા પાસે પહોંચી ગયા. ત્યાં ફિરસ્તા બેઠા હતા. બદામ ને પિસ્તાનાં ઝાડ હતાં ત્યાં સેનાના સિંહાસન પર ખુદા બેઠા હતા. ખુદાને મલી એ પાછો આવ્યો ને વળતી વખ એક મરચાંની લૂમ બગલમાં મારો આવ્યો. સુરિજી આ સાંળીને હસ્યા. સૂરિજીએ સુબેદારને પૂછ્યું-ભલા, એ તો બતા, જનારો મુસલમાન શરીર તો અહીં મૂકીને ગયા હતા, તો પછી એની બગલ કયાં હતી? જે બગલ ન્હોતી તો મરચાંની લૂમ કયાં! બે જે ખુદા તે છે અરૂપી, પછી એને કેવી રીતે જોયા? સુજેદાર પિતાની મૂર્ખાઈ ઉપર ખૂબ હસ્યા અને પિતાની ભૂલ કબુલી. સૂરિજીને સ્વર્ગવાસ સુરિજી મહારાજ સંઘ સહિત સિદ્ધાચલની યાત્રા કરી દૈવ રજારાની યાત્રા કરી ઉનામાં ૧૬૫૨ માં ચાતુર્માસ રહ્યા છે. ચાતુર્માસની શરૂઆતથી જ તેમની તબિયત નરમ થવા માંડી હતી. રદ્ધાવસ્થા પિતાનું કાર્ય કરી રહી હતી. પર્યુષણના દિવસોમાં સૂરિજીએ પિતે કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. તેઓને પોતાને અન્તિમ કાલ નજીક સમજાઈ ગો હેય તેમ બધાની પાસે ક્ષમાપના કરી લીધી. પિતાના પદશિષ્ય રિપુંગવ શ્રી વિજયસેનસૂરિ અને ચાતુર્માસ પહેલાં જ પિતાની પાસે બોલાવવા પ્રયત્ન કર્યો હતો. આખરે ભાદરવા શુદ ૧૧ ની સાંજે પ્રતિક્રમણ કર્યું, સર્વેને ખમાવ્યા અને મૃત્યુરપિ મહેસવાયતે ને ચરિતાર્થ કરતા હોય તેમ પદ્માસન લગાવી હાથમાં નવકારવાળી લઈ ધાનમગ્ન થયા. ચાર માલાઓ ગણાઈ અને પાંચમી ગણતાં જ હાથમાંથી પડી ગઈ અને તેમને આત્મા શરીર માંથી ડી એ, જનતામાં હાહાકાર મચી ગયોઃ જમતના સાચા હીરા સમા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી દેવલોકમાં પહોંચ્યા. સુરિજીના અગ્નિસંસ્કારના સ્થાને એક વાંઝીયા આંબાને ફળ આધ્યાં. ૯. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજીને બાદશાહ અકબરના અતીવ આગ્રહથી જગદ્ગુરુજી મહારાજે રાધનપુરથી જ, સમ્રાટને પ્રતિબોધ આપવા લહેર એકત્યા હતા. સમ્રાટ અકબરને પ્રતિબધી તેમણે પણ મહાન શાસનપ્રભાવના કરી છે. “સવાઈહીર વિજયસુરિ ” આવું માનવંતુ બિરૂદ પામ્યા હતા. ૧૬ ૪૯ માં તેઓ લાહેર પધાર્યા હતા. ૧૬૫૨ માં અકબરને સમજાવી ગુરુદેવની આજ્ઞા આવી છે, એમ જણાવી ગુજરાત તરફ પધાર્યા. પરંતુ ગુરુ-શિષ્યનો મિલાપ થાય એ પહેલાં જ ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા. For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy