SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ-સંજોગમાં સારું-માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઇષ્ટાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ-કુરૂપ, શીત-ઉષ્ણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણે, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતોને કાર્યકારણ, અવિનાભાવી અને અન્યોન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તો બીજુ ન હોય, અને બીજુ ન હોય તો પહેલું ન હોય. સમદર્શિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તો સમદર્શિતા ન હોય. અહિંસાદિ વ્રત હોય તો સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદગુરૂયોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હોય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય, ક્ષીણમોહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસત્યુતમાં સમપણું ગણવું, અથવા સધર્મ અને અસધર્મમાં અભેદ માનવો, અથવા સગુરૂ અને અસગુરૂને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદદેવ અને અસદદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તો આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકનિકળતા. સમદર્શી સત્ન સત જાણે, બોધે; અને અસત્ જાણે, નિષેધે; સદ્ભુતને સદ્ભુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સદ્ધર્મને સધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે; સગુરૂને સદ્ગર જાણે, બોધે; અસદગરને અસદગરૂ જાણે. નિષેધે. સદદેવને મદદેવ જાણે. બોધે. અમદદેવને અમદદેવ જાણે, નિષેધ. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે, એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ૐ
SR No.330963
Book TitleVachanamrut 0837 Aatma Ghnan Samdarshita Y
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy