SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. (સંઘાત એટલે Fusion અને ભેદ એટલે Fission) (૩) ખેરાલુ: I (31ધ્યાય-૧, સૂર-ર૦) જ્યારે અણુ તો ભેદથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ અણુ અવિભાજ્ય છે, જેને આજે આપણે પરમાણુ કહીએ છીએ. (૪) માંધાતામ્યાં રાક્ષTI: I (૩Nધ્યાય-૧, સૂત્ર-૨૮) ભેદ અને સંઘાતથી ચાલુષ સ્કંધ બને છે અર્થાત્ સ્કંધ એ સંઘટન અને વિઘટનની સમન્વય પ્રક્રિયાને લીધે ચાલુષ અર્થાત્ દ્રષ્ટિમાન થાય છે. (૫) ડાવ્યાધ્રૌવ્યયુ સત્ I (31ધ્યાય-૫, સૂત્ર-૨) જે ઉત્પાદન, વ્યય અને ધૌવ્ય એ ત્રણેયથી યુક્ત અર્થાત્ તદાત્મક હોય તે સત્ કહેવાય છે. સત્ એટલે જેનું અસ્તિત્વ (existence) છે તે હંમેશા ઉત્પત્તિ, વિનાશ અને ધૈર્યની પ્રક્રિયા યુકત હોય છે. (૬) તમાવીત્રે નિત્યમ્ ! (૩૬ધ્યાય-૧, સૂત્ર-૩૦) જે તેના પોતાના ભાવથી અર્થાતુ પોતાની જાતિથી ચુત ન થાય તે નિત્ય છે. સતુ પોતાના સ્વભાવથી ચુત થતું નથી. ત્રણેય કાળમાં એક સરખું અવસ્થિત રહે છે. તેથી તે નિત્ય છે. (Universal matter) (૭) નિરુત્વાક્ વન્ય: I (31ધ્યાય-૧, સૂત્ર-રૂર) સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બંધ થાય છે. (પરમાણુના positive અને negative charge નો ઉલ્લેખ છે.) (૮) ન સધન્યTUTIનામ્ . (૩ધ્યાય-૧, સૂત્ર-૨) સાપે સશાનામ્ ! (૩ધ્યાય-૬, સૂત્ર-૨૪) ઢયfધવાવાળાનાં તુ (૩Tધ્યાય-૫, સૂત્ર-૩૫) પરમાણુ વિજ્ઞાનની વાત આગળ વધારતા કહે છે કે જઘન્ય ગુણ અંશવાળા નિગ્ધ અને રૂલ અવયવોનો બંધ થતો નથી. જઘન્ય એટલે વિકૃષ્ટ અર્થાત્ અવિભાજ્ય. સમાન અંશ-ગુણ હોય તો સદશ અર્થાત્ સરખે સરખા રૂલ - રૂક્ષ અવયવોનો બંધ થતો નથી. બે અંશથી અધિક ગણવાળા અવયવોનો બંધ થાય છે. આમ અહીં રસાયણશાસ્ત્ર, રાસાયણિક બંધ અને તેના સૂક્ષ્મ નિયમોનું નિરૂપણ. હવે અહીં જુઓ શરીરવાત્મનઃ પ્રાપાના: I (STધ્યાય-૧, સૂત્ર-) સુહુર્ગવિતરણોપગ્રહાશ્વ ! (૩ધ્યાય-૫, સૂત્ર-ર૦) શરીર વાણી, મન, શ્વાસોચ્છવાસ, અને અપાન વાયુ પૌગલિક છે. (Matter functions as a material cause of body, speech, mind and breath), તથા સુખ, દુઃખ, જીવન અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે. ઔદારિક વગેરે શરીર પણ પુગલના કારણે જ છે. તે જ રીતે ભાષા, ભાવ મન, દ્રવ્ય મન, શ્વાસોચ્છવાસ (અપાન પ્રાણ) એ બધું પુદ્ગલને આભારી છે અને આત્મા પરનો અનુગ્રહ છે.) પરસ્પરોપગ્રહો નૈવાના ( ૩ય-૬, સૂત્ર-૨) પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું (એકબીજાને સહકાર આપવો અને એકબીજા ઉપર નિર્ભર રહેવું) તે જીવોનો ઉપકાર છે. આ અંગે આગળ ચર્ચા કરીશું કે અહિંસાના સિદ્ધાંતને તે કઈ રીતે સમર્થન આપે છે. વર્તના-પરિપITH: ક્રિયા પરત્વાપરત્વે ૫ વાની . (૩Tધ્યાય-૬, સૂત્ર-૨). કાળ (Time) નું કાર્ય (Function) શું? વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ વગેરે કાળનાં કાર્ય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પણ આવી વિચારધારા કે સંશોધન આજની તારીખ સુધી થયું નથી. કાળ સ્વતંત્ર દ્રવ્ય છે અને બીજા દ્રવ્યના વિવિધ પર્યાય સ્વરૂપ વર્તના, પરિણામ, ગતિ વગેરે તેના કાર્ય છે. કાળ દ્રવ્ય ઉપર જૈન દર્શનના આધારે નોબેલ પ્રાઈઝ મળે તેવું સંશોધન થઈ શકે તેમ છે. પર્શ-રસ-- વવન્ત: તા: I (૩Tધ્યાય-, સૂત્ર-ર૩) શબ્દ-વન્ધ-સૌ-પ્રથૌલ્ય-સંરથાન-એ-તમશચ્છાયાફતપોદ્યોતવત્તરડ્યા (ધ્યાય-,સૂત્ર-ર૪) પુદ્ગલ પરમાણું (Matter) સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એમ ચતુર્ગુણયુક્ત છે. અહીં પરમાણુના પૃથક્કરણ સ્વરૂપની ચર્ચા છે. તે શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલત્વ, સંસ્થાન અર્થાત્ આકાર, ભેદ, અંધકાર, છાયા, આતપ, અને ઉદ્યોત(પ્રભા) સ્વરૂપ છે. આમ સમગ્ર અણુવિજ્ઞાન અને પુગલના લક્ષણો અને કાર્યનું સુંદર વર્ણન છે. અહીં એથીય વિશેષ પુદ્ગલ દ્રવ્યના બે વિભાગ બતાવ્યા છે. એક ઉપર ધન કે ઋણ વિદ્યુતભાર (Charged matter) છે અને બીજા ઉપર વિદ્યુતભાર નથી (Uncharged matter) અર્થાત્ તટસ્થ છે.
SR No.249554
Book TitleJain Darshan Ek Adhbhut Vigyan
Original Sutra AuthorN/A
AuthorSudhir Shah
PublisherSudhir Shah
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size103 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy