SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ४० જૈનધર્મને પ્રાણું vvvvvvvvvvvvvvvvvvvvvvvv -૪૪૪ww.-૪૪૪૪૪૪ • • • મુદ્રમાં શુદ્ર અવસ્થામાં રહેલ છવ પણ કયારેક માનવકેટિમાં આવી શકે છે અને માનકોટિમાં રહેલો જીવ પણ મુદ્રમાં શુદ્ધ વનસ્પતિ અવસ્થામાં જઈ શકે છે, એટલું જ નહીં પણ વનસ્પતિને જીવ વિકાસ દ્વારા, મનુષ્યની જેમ, ક્યારેક બંધનમુક્ત પણ થઈ શકે છે. ઊંચનીચ ગતિ કે યોનિને તેમ જ સર્વથા મુક્તિને આધાર એક માત્ર કમ છે. જેવું કર્મ જેવા સંસ્કાર કે જેવી વાસના એવી જ આત્માની અવસ્થા, પણ તાત્વિક રૂપે બધા આત્માઓનું સ્વરૂપ સર્વથા એક જેવું છે, જે કમરહિત અવસ્થામાં પૂર્ણ રૂપે પ્રગટ થાય છે. આ જ આત્મસામ્યમૂલક ઉત્ક્રાંતિવાદ છે. સાંખ્ય, ગ, બૌદ્ધ વગેરે દૈતવાદી અહિંસા-સમર્થક પરંપરાએને બીજી બીજી બાબતોમાં જૈન પરંપરા સાથે ગમે તે મતભેદ હોય, પણ અહિંસાપ્રધાન આચાર તથા ઉત્ક્રાંતિવાદની બાબતમાં બધાને પૂરેપૂરે એકમત છે. આત્માતવાદી ઔપનિષદ પરંપરા અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નહીં પણ અતના સિદ્ધાંતને આધારે કરે છે. એનું કહેવું એમ છે ક તત્ત્વ રૂપે જેવા તમે એવા જ બીજા બધા જીવ શુદ્ધ બ્રહ્મ–એક બ્રહ્મ-રૂપ છે. જીવોને જે પરસ્પર ભેદ દેખાય છે એ વાસ્તવિક નહીં પણ અવિઘામૂલક છે. તેથી બીજા જીને પિતાથી અભિન્ન જ સમજવા જોઈએ અને બીજાના દુઃખને પિતાનું દુ:ખ સમજીને હિંસાથી નિવૃત્ત થવું જોઈએ. દેતવાદી જૈન વગેરે પરંપરાઓ અને અદૈતવાદી પરંપરા વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે પહેલી પરંપરાઓ પ્રત્યેક જીવાત્માને વાસ્તવિક ભેદ માનવા છતાં પણ એ બધામાં તાવિક રૂપે સમાનતાને સ્વીકાર કરીને અહિંસાનું ઉ ધન કરે છે, જ્યારે અદ્વૈત પરંપરા જીવાત્માઓના પરસ્પરના ભેદને જ મિથ્યા માનીને એમનામાં તારિક રૂપે પૂર્ણ અભેદ માનીને એને આધારે અહિંસાનું ઉધન કરે છે. અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદી જુદી ગતિવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy