________________
સન્મતિત અને તેનું મહત્ત્વ
[ ૭૩૫ રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણોની પૂર્જામાં જ આપણે રચ્યાપચ્યા રહીએ તે તેના ચેતન-આત્મા સુધી પહેાંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાપ્રહિલ જડપૂજક ખેતી જઈ એ. એ સ્થિતિ અનેકાંતદૃષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદુ” કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકનો રુચિ કાઈ પણ કાળે સન્મતિતના
ખરા મહત્ત્વ તરફ વળશે તો પ્રયાસ સફળ જ છે.
દિવારશ્રીનાં કેટલાંક પઘોના સાર
[ આગળ કહ્યા પ્રમાણે એકદર બધી કૃતિએ જોતાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમને ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતોને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેએ કાઈ નિર્વિચાર રૂઢિબધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગેઠવવા તેમ જ જૈન શ્રુતને વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેના ભક્તિપ્રસાદ પારખવા અને વિવેચ્ય વિષયના મતે સ્પર્ધા તેએકની અનન્યસાધારણ વિવેચકશક્તિને પરિચય આપવા તેમની બત્રીસીએમાંના કેટલાંક પદ્યો સારસહિત આપવાને લાજ રાખવા એ અસ્થાને નથી.]
સ્તુતિ કરવાને ઠંતુ જણાવતાં તેઓ કહે છે કે હું વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષ્યાથી કે કીતિ પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણુના તારુ' બહુમાન કરે છે તેથી મા આ આદર છે.” ૧, ૪.
ભગવાન મહાવીરમાં પેાતાને અતિઆદર
થવાનું કારણ આપતાં
*
- હે ભગવન ! પરસ્પરના વિખવાદને લીધે જેએનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જે પોતાના વાદને સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના ભાગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતા કયા પુરુષ તારા તરફ્ ન આકર્ષીય ? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલા પુરુષ તારા જેવા અનેકાંતવાદી–સમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય, ઝ ૧, ૫.
અનેકાંતવાદના વિજ્ઞાન (science )ની ભૂખી ખતાવતાં તે કહે છે કે
તેઓ કહે છે —
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org