________________ અનધિકાર રેષ્ટા [ 843 પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એજ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણું મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તે ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલૂમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળ કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી. દેસાઈને બળવા વખતે જયભિખુને જન્મ પણ થયો ન હતે. આકર્ષનારી બીજી બાબત એ—જયભિખુની સાહિત્ય પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન જોડાયેલું છે. આ બીજી સમશીલતા. જયભિખુએ એ વૃત્તિના બળે અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પ કરેલા છે કે જે પુરુષાથી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ આ સ્થળે લખવાને મારે (જો અધિકાર કહી શકાય તે) મુખ્ય અધિકાર છે.* * શ્રી, જયભિખુની નવલકથા “મસ્ય-ગલામાલની પ્રસ્તાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org