________________
દર્શન અને ચિંતન નાનાભાઈએ જે ઉગારો કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાં પ્રકરણ બીજું). એ બધું જેટલું રેચક છે, તેથીય વધારે બેધપ્રદ છે. . નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લોકભાગવત અને લેકભારત પણ તેટલાં જ કાદર પામ્યાં છે. આ ફાલનાં બીજે તેમના પહેગામની ડિલીના સહવાસમાંથી વવાયાં છે, અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શેખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણના દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃત શરૂ તે એ છે છેક બાલ્યકાળથી, પણ હાઈસ્કૂલના ઉપરના વર્ષોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેને વધારે પ્રકર્ષ તે કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મહકતાઃ એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સરચિ અને ધવર્ધક નાટકે જોવામાં રસ કેળવ્યું છે, તે એનો પુરા છે. આ તો અભ્યાસકાળના ભૂતોગની વાત થઈ, પણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતયેગની સાધના કરી છે તે તેમનાં લખાણોમાં, બેલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે.
નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકેચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મને પામે છે. આર્થિક તંગી વખતે અને કુટુંબી જનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલોભનેને જતાં કરવાને વારે આવે છે ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રહવ્રતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. ક્તવ્ય પ્રત્યેની મક્કમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતર ના પપદે નજરે પડે છે. પિતાના અતિશય ગુરુવર્ય શ્રીમન નથુરામશર્માને તેમની ઇચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાને પોતાનો સમયોચિત નિર્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org