SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૧૧ પૃથક્કરણ કરી ગીતાના એક એક ભાગને છૂટો પાડી તેનું અખંડત્વ અને સામૂહિક સૌન્દર્ય જેવા વિરુદ્ધ દલીલ કરે તો એ જ તકે ભગવાન બુદ્ધના પ્રત્યેક ઉપદેશમાં લાગુ પાડતાં તેમાં મૌલિકત્વ જેવું શું બતાવી શકાય? આર્ય-અષ્ટગિક માર્ગ લે, તે એના એકએક ક્ટા ક્ટા અંશે પ્રથમથી જ પ્રજાજીવનમાં અને શાસ્ત્રોપદેશોમાં હતા એમ કહી શકાય. ચાર આર્ય સત્ય પણ નવાં તો નથી જ. જે એવી દલીલ કરવામાં આવે કે પ્રથમથી કે સમાન કાળમાં એ તર હોવા છતાં બુદ્દે પિતાની ઢબે જીવનમાં એ તો. પચાવી લેકે પોગી થાય એવી રીતે એને ઉપદેશ કર્યો એ જ બુદ્ધનું વૈશિષ્ટ, તે ગીતાની બાબતમાં પણ એમ કાં ન કહી શકાય? અહિંસા અને હિંસા એ બે વિરોધી તત્ત્વો મેળ એમાં કેવી રીતે બેસે એ પ્રશ્ન ખરે, પણ એનું સમાધાન તે બ્રાહ્મણ સાહિત્યની સર્વપ્રકૃતિમૂલક ઔત્સર્ગિકતામાં છે, એમ મને લાગે છે. એટલે કે ગુણકર્મમૂલક વર્ણ ધર્મ એ બ્રાહ્મણ ધર્મનું એક મહત્વનું અંગ રહેલું છે. શસ્ત્રયુદ્ધ એ ક્ષત્રિયવર્ગને એક ધર્મ મનાતે આવ્યો છે. અજ્ઞાન, સ્વાર્થ આદિ અનેક દેવોને કારણે એ ધર્મનાં હાનિકારક પરિણામો પણ ઇતિહાસમાં જોધાયાં છે એ વાત ખરી, છતાં શાસ્ત્રયુદ્ધ સિવાય અનેક પ્રસંગોએ કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય રક્ષણ કદી પણ કોઈએ શકય સિદ્ધ કર્યું નથી. ખુદ બૌદ્ધ અને જૈન રાજ્યકર્તાઓએ, અહિંસાને આત્યંતિક પક્ષપાત ધરાવવા છતાં પણ, સમૂળગે શસ્ત્રત્યાગ કરી કૌટુંબિક સામાજિક અને રાષ્ટ્રીય રક્ષણ પદાર્થપાઠ સમભાવે શીખવ્યો નથી. અહિંસાને ઉદાત્ત ધર્મ માનનાર જૈન અને બૌદ્ધ પરંપરાના અનુગામી રાજ્યકર્તાઓએ અહિંસા દ્વારા વ્યાપક રીતે સમાજરક્ષણને દખલે બેસાડ્યો ન હોય ને તેમણે પિતે પણ રાજ્યરક્ષણમાં શસ્મયુદ્ધનો આશ્રય લીધો હોય, એવી સ્થિતિમાં વર્ણન ધર્મ તરીકે શસ્ત્રયુદ્ધને આશ્રય લેનાર બ્રાહ્મણ પરંપરા, એક અથવા બીજે કારણે એનાં અનિષ્ટ પરિણામે આવ્યા છે એટલા જ કારણસર, ધર્મપરમુખ છે એમ તે ન કહી શકાય. સમાજ અને રાષ્ટ્રરક્ષણને અહિંસા દ્વારા કોયડા ઉકેલવાનો વ્યાપક પ્રયોગ તો આ ચાલુ શતાબ્દીમાં મહાત્માજીએ આદર્યો છે અને તે ગમે તેટલે આદર્શ હોય તોપણ હજી પૂર્ણ રીતે સિદ્ધ થવાને બાકી છે. એટલે અત્યારની અહિંસાપ્રધાન યુદ્ધની દૃષ્ટિએ શસ્ત્રયુદ્ધની ઐતિહાસિક પરંપરાનું નિરર્થકપણું બતાવી શકાય નહિ. ગીતા એ તે બ્રાહ્મણધર્મની સુનિયત અને બુદ્ધિસિદ્ધ અતિહાસિક વર્ણવ્યવસ્થાનું પ્રતિપાદન કરે છે, એટલે તેમાં સિદ્ધ થયેલ તેમ જ વિકાસને અવકાશ હેય એવા બધા વર્ણન ધર્મોને સ્થાન છે. તેથી પ્રાચીન શસ્ત્રયુદ્ધની ક્ષત્રિય ધર્મની પરંપરા એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249226
Book TitleHindi Sanskruti ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Ahimsa
File Size411 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy