SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] દર્શન અને તન અધુ વ; લેપની બધી જ જવાબદારી માત્ર પ્રકૃતિતત્ત્વ ઉપર છે; પુરુષ કાઈ પણ જાતના કર્તૃત્વ વિનાના માત્ર તટસ્થ પ્રેક્ષક છે. ઉપનિષદના અનેક ઋષિઓએ જે વર્ણવ્યું છે તેમાં સ્પષ્ટપણે પુરુષનું જ તું ભાસે છે. એ ઋષિ કહે છે કે આત્મા ( બ્રહ્મ કે સત્ તત્ત્વ) પહેલાં એકલા હતા. અને એકલામાં રસ ન પડ્યો અને અનેકરૂપ થવાની રા થઈ. એ ઇચ્છામાંથી અજ્ઞાત માયારાક્તિ દ્વારા જ તે અનેકરૂપ થયા. આ અનેકરૂપતા એ જ સસાર. આ વનમાં બધું જ કર્તુત્વ માત્માનું પુરુષનું છે. માયા કે શક્તિએ સર્જનમાં મદદ આપી હોય તે તે પણ આત્માની કામના અને તપસ્યાને લીધે. ઉપનિષદની માયામાં સ્વત ત્રણે કતૃત્વ જેવું કાંઈ નથી, જ્યારે કપિલની પ્રકૃતિમાં અર્ધું કત્વ સ્વત ંત્રપણે છે. ઉપનિષદના મતમાં રામના પૌરુષ અને સીતાના અનુગમને માત્રના સંબંધનું પ્રતિબિંબ દેખાય છે, જ્યારે કપિલના મતમાં કૃષ્ણ અને ગોપીકૃત રાસલીલા અને કૃષ્ણના માત્ર પ્રેક્ષકપણાનું પ્રતિબિંબ નજરે પડે છે. સસારનાટકના ખેલની પૂરી જવાબદારી એકને તે પ્રકૃતિમાં છે, તે બીજાને મતે પુરુષમાં છે. આ અને દેખીતા પરસ્પરવિદ્ધ મતા છે, અને તેથી તે એકાન્ત જેવા લાગે છે. દેવચંદ્રજી બીજી કડીમાં જૈન દૃષ્ટિ રજૂ કરે છે, પણ તેમના હું સ્વરૂપ નિજ હાડી રમ્યા પર પુદ્ગલે ' એ શબ્દથી વ્યક્ત થતા ઝેક ઉપનિષદના ઝોક જેવા છે. દેવચંદ્રજીનો હું પાતે જ વિમાસણમાં પડે છે કે મેં મારું સ્વરૂપ આપ મેળે જ બ્રેડ્યુ અને હુ પૌલિક લીલામાં રસ લેતા થયા. દેવચંદ્રજીનો ‘ હુક' પુદ્ગલ કે કમને દોષ ન દેતાં બધા જ દોષ પેાતાને માથે વારી લે છે. આટલી ચર્ચા ઉપરથી વાયકા એ વિચારી રાશે કે જુદા જુદા આધ્યાત્મિક ચિન્તાએ એક જ વસ્તુ અનેક રૂપે વર્ણવી છે. કાઈ પ્રકૃતિ, પુદ્ગલ યા માયા ઉપર દેખના ટાણે પાલવે છે તે બીજો કાર્ય પુરુષ, આત્મા કે જીવ ઉપર. કહેવાની ભગી કે રૌલી ગમે તેવી હોય, તેને અતિન સિદ્ધાંત માની એ વાદમાં પડી જવું એ આધ્યાત્મિકતા નથી. મૂળ વસ્તુ એટલી જ છે કે વાસના કે અનાનને ઘટાડવાં કે નિર્મૂળ કરવાં. " જૈન દૃષ્ટિ માને છે કે જે તારક, જે પરિણામ કે જે ખેલ કાઈ એક પાત્રથી ભજવાતા નથી એનું કત્વ બન્નેને ફાળે જાય છે. અલબત, એમાં એકને હિસ્સા અમુક રીતે હોય ને બીજાનો બીજી રીતે. પણ્ અન્ત સંતતિ પેદા કર્યાં કરે અને એમાં અજન કરો! રસ નથી એમ કહેવાના કા અર્થ નથી. એ જ રીતે આત્મા એકલા નર ખેલૈા થાય છૅ, ત્યારે પણ એને બીજા કાઈ અજ્ઞાત તત્ત્વની મદ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249194
Book TitleAtmadrushtinu Antar Nirikshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Spiritual
File Size143 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy