SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મોન્ટીસારી પદ્ધતિ વિશે કેટલાક વાંધા થવા યોગ્ય છે. પણ હજી સુધી મોન્ટીસારી શિક્ષણપદ્ધતિનું ઊતરતાપણું સાબિત કરી શકાયું નથી; એટલું જ નહિ, પણ દિવસે દિવસે વિચારવમાં તેના ચઢિયાતાપણા વિશે ચેસ અભિપ્રાય અધાતો જાય છે; અને તેના નિઃસ્વાર્થ તથા પ્રામાણિક પ્રયોગકર્તાઓ તેા બીજી કાઈ પણ શિક્ષણપદ્ધતિ કરતાં તેને વધારે શાસ્ત્રીય અને વધારે સ્વાભાવિક માને છે. હજી એ પતિના પ્રયાગતો કરતાં વધારે અનુભવ ધરાવનાર ખાજો કાઈ પણ એ પદ્ધતિનુ ઊતરતાપણું સાબિત કરી શકયો નથી. તેથી બહુ ખચોંળપણાના આરોપને વિચાર બીજા વિકલ્પને સ્વીકારીને જ કરવા ઘટે છે. મેન્ડીસારી શિક્ષણપદ્ધતિની પાછી જે શાસ્ત્રીયતા અને સાહજિકતાનું બળ છે તે જ તે પતિના શ્રીજી ધી પદ્ધતિ કરતાં ચઢિયાતાપણાની સાબિતી છે. એ પતિના પ્રયાગ, અનુભવે અને નિયમોના વિચાર કરતાં મને તે તેના ચઢિયાતાપણા વિશે જરાયે શક નથી. તેથી જે પ્રારંભમાં આ પદ્ધતિના અખતરામાં બહુ ખર્ચાળપણ હોય અને છે, તાય તે જાણીબૂઝીને ચલાવી લેવું એ જ સરકારી પ્રજા તૈયાર કરવાને માટે યોગ્ય છે. આપણે પ્રચલિત સરકારી પદ્ધતિનાં આછાં અને માાં પરિણામે અનુભવીએ છીએ તથા તેનુ ખર્ચાળપણું પણ જાણીએ છીએ. એ પદ્ધતિથી શિક્ષણ લેનારનાં શરીર અને મન બળવાન થવાને બદલે કેટલાં નિર્માલ્ય અને હતપ્રભ થઈ જાય છે; સરકારી શિક્ષણ આપવા જતાં માબાપનાં ધર કેટલાં ખાલી થઈ જાય છે; તેઓ કેટલાં દેવાદાર થઈ જાય છે અને છતાંયે તે શિક્ષણુ લેનાર સો પૈકી કેટલા જણ પેત્તાને અને પોતાની પાછળ આશા રાખી ખેડેલાંને નિશ્ચિન્ત કરે છે, એ પ્રશ્નોના ઉત્તર હવે સૌ કાઈ જાણે છે. તેમ છતાં એવી નિર્માણ અને ગુલામીપાક પદ્ધતિમાં ગણ્યાંગાંવ્યાં કાઈ આગળ વધે છે. એ જ પ્રલાભનમાં આપણી આખી પ્રજા સડાવાયેલી છે અને તેથી તે નિષ્ફળ પદ્ધતિમાં બહુ ખર્ચાળપણું હાવા છતાં પણ પ્રશ્ન તેને નભાવી લે છે. આથી ઊલટુ, મોન્ટીસોરી પદ્ધતિમાં સ્વાભાવિકતા હાઈ ખળાનાં આત્મા, મન અને વાણી એ ત્રણે વ્યવસ્થિત રીતે ખીલે એવી ચેાજના છે. આ યાજના પ્રમાણે શિક્ષણ લેવા જનારને મોટામાં મોટુ' પ્રલાભન સરકારી પ્રતિષ્ઠા નહિ, પણ સર્વાંગીણ વિકાસ એ છે. જો આ પદ્ધતિના પ્રયાગા વિચારશીલ અને Üય શાળી વ્યક્તિઓને હાથે ચેડાં વર્ષે અવિચ્છિન્ન ચાલે તો તેનાં પરિણામે લેાક સમક્ષ આવે, અને પરિણામ સામે આવતાં વાતાવરણ તે પ્રવ્રુતિને અનુકૂળ થાય. એકવાર મેન્ટીસોરી પદ્ધતિનુ Jain Education International ૧૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249180
Book TitleMontisory Paddhati vishe Vandha ane Mara Vicharo
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Education
File Size193 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy