SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા I ૧૪૯ ાળી ફેકી શંકા છે કે નહિ? કૃષ્ણે તે કંસના મુષ્ટિક ને ચાણુર એ એ મહામલ્લાને મરદી નાખેલા, તમે વધારે નહિ તા ગુજરાતના એકાદ અખાડિયા તરુણુને મરદી શકેા છે કે નહિ ? કૃષ્ણે કંસને પટકી મારેલા, તે તમે તમારા કાઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકેા છે કે નહિ?' તર્ક જખરા હતા. પેલા મહારાજે મનમાં ખડખડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તે કલિયુગની મુર્ત્તિ આવેલી છે. હું ધારું છું કે એ ખાઈન! જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજને કાઈ પણ સંપ્રદાયના કાઈ પણ યુવક પોતપોતાના સપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચને કરનાર પાતપોતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવા જ કાંઈક જવાબ આપો. યુવક મુસલમાન હશે તે તે મેલવીને સંભળાવશે કે હિન્દુએને કાર કહા છે, પણ તમે પેતે પણ કાર કેમ નહિ ?ગુલામ હાય તે કાર. તમે પાતે ગુલામ જ છે. ગુલામીમાં રાખનાર કાફર ગણાતા હોય તો રાજ્યકર્તાઓને કાર માનો. પછી તેમની સોડમાં કાં ભરાએ છે? યુવક હિન્દુ હશે તે તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાને કયાગ સાચા છે તે અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂર છે તે પ્રજાકીય રણાંગણી કેમ ભાગે છે? યુવક જૈન હરો તે क्षमा वीरस्य भूषणम् ઉપદેશ આપનાર ન ગુરુને કહેશે કે જો તમે વીર હા તો સાવજનિક કલ્યાણ કારી અને છતાંય ઉશ્કેરણીના પ્રસંગોમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવા પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગના સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવા ત્યાગ કરેલા જ છે ત્યાં જ માત્ર ખેસી એવા ત્યાગની વાતો પ્રેમ કરો છો ? પીઠાં ઉપર, જ્યાં દેશમાં લાખા કરાડી દાર્ડિયા બરબાદ થાય છે ત્યાં, જઈ તમારા ઉપદેશ કેમ નથી વરસાવતા ? જયાં અનાચારવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાના અને માંવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઇ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારના કળિયુગી યુવક કાઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યાં વિના સાંભળવાને કે માનવાને છે જ નહિ. હા, તે એક જ વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશક વી બતાવતા હાય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તોડવાના પ્રયત્ન રાષ્ટ્રીય મહાસભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી જ તમામ સપ્રદાયા વાસ્તે એ એક જ કાર્યક્ષેત્ર યેાગ્ય છે. C y જૈન સમાજમાં ત્રણ વર્ષાં છેઃ એક તદ્દન સાંકડી. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કન્ય ને પ્રવૃત્તિ સાથે પોતાનું કે પોતાના જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249172
Book TitleSampradayo ane Rashtriya Mahasabha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Society
File Size235 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy