SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ] દર્શન અને ચિંતન દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના. કેઈ ને કઈ ક્રિયાકાંડ, કેઈ ને કોઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધમ. કને સંતોષ માન અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પિવી. આજનો યુવક કાંઈક જીવન જીવવા ઇચ્છે છે. એને બળિયા કરતાં પ્રાણુની વધારે પડી છે. એને શુષ્ક વાદો કરતાં જીવતા સિદ્ધાંત વધારે ગમે. છે. એને પારલૌકિક મોક્ષની નિષ્ક્રિય વાત કરતાં ઐહિક મોક્ષની સક્રિય વાત વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દેડવામાં રસ નથી. એને ધર્મ કર હેય તો ધર્મ અને કર્મ કરવું હોય તે કર્મ, પણ જે કરવું હોય તે, ખુલમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાને લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતા નથી. એનું મન કોઈ એક વેષ, કોઈ એક ક્રિયાકાંડ કે કોઈ એક ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગેધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પિતાનું અસ્તિત્વ અને વિકાસ માત્ર સાંપ્રદાયિક ભાવનામાં પિષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન છે કે જૈનેતર હે, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, કુલતી છાતીએ, એક બીજાને ખભેખભે લગાડી જઈ રહ્યો છે. જે આ ક્ષણે સર્વ સંપ્રદાયો ચેતે તે નવા રૂપમાં પણ તેમના પિતાના સંપ્રદાય જીવે, પોતાની નવી પેઢીને આદર પિતા તરફ સાચવી રાખી શકે અને જેમ અત્યાર સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠયો છે તેમ નવયુવક તરક–ખરી રીતે નવયુવકને આકર્ધનાર રાષ્ટ્રીય મહાસભા તરફ – ઉપેક્ષા કે તિરસ્કારની દૃષ્ટિએ જોશે તો તેનું બેવડી રીતે મોત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે. નવભણતરવાળી કાઈ તરુણી એક ગેપાળમંદિરમાં કુતૂહળવશ જઈ ચડી.. ગોસ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈ એ તરણી પણ એમાં ભળી. ગેસ્વામીજી ભગતને એકે એકે લક્ષ કરી કહેતા કે “માં ઇ માયા સમાને રાશિમ–મને કૃષ્ણ સમજે અને પિતાને રાધિકા, બધી ભેળી ભક્તાણીઓ તે મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી લીઃ “મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી, પણ હું જેવા માગું છું કે કૃષ્ણ કેસના હાથીને ઉછાળે તેમ તમે હાથી નહિ, આખલે નહિ તો એકાદ નાના ગધેડાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249172
Book TitleSampradayo ane Rashtriya Mahasabha
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Society
File Size235 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy