________________
૩૧૨
ગણુને ધર્મોપદેશ આપ્યા. પછી તેઓ ગુજરાત પધાર્યાં ત્યારે અહીંનાં લેકે, માદશાહ, શાહી પરિવાર, અમીરે વગેરેને ધર્મોપદેશ દેવા માટે મહે॰ શાંતિચંદ્ર ગણ, મહે॰ ભાનુચદ્ર ગણિ વગેરે વિદ્વાન મુનિવરેશને બાદશાહ પાસે રાખ્યા હતા અને ગુજરાત પહોંચ્યા બાદ પેાતાના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિ તથા મા॰ સિદ્ધિચદ્ર ગણિ વગેરેને પણ બાદશાહ પાસે મેકલ્યા હતા. મહા॰ ભાનુચદ્ર ગણુ અને મહા॰ સિદ્ધિચંદ્રગણિ બાદશાહના દરબારમાં લગભગ ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિ અને તેમના શિષ્યા-પ્રશિષ્યા વગેરેના ઉપદેશથી હિંસાત્યાગના, અમારિ પ્રવર્તાવવાનાં, જૈનાની ધર્મભાવના અને તી ભક્તિને જાળવવાનાં તેમ જ લેાકહિતનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં, જેમાં કેટલાંક નીચેની વિગતે છેઃ
( ૧ ) ખાદશાહ અકબર શ્રી હીરવિજયસૂરિના ભક્ત બન્યા, જૈન ધર્મના પ્રેમી બન્ય અને હિન્દુધર્મ પ્રત્યે આકર્ષાયા. (૨) બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને માટે ગ્રથભ ડાર અણુ કર્યાં. (૩) મારવા માટે બાંધી રાખેલાં પશુ-પક્ષીઓને છેડી મૂકયાં અને કેદીઓને પણ છૂટા કર્યા. ( ૪ ) ડાખર તળાવના શિકાર અંધ કરાવ્યો અને માછલાં પકડવાની જાળા બંધ કરાવી. ( ૫ ) બાદશાહ અકબર હમેશાં ૫૦૦ ચકલાંની ભેાના કલેવે કરતે હતા, તેણે તે ખાવાના ત્યાગ કર્યાં. ( ૬ ) ખાદશાહે નિવ“શિયાનું ધન લેવાનું અધ કર્યું. (૭) બાદશાહે જજિયાવેશ ( યાત્રા–કર ) માફ કર્યાં. ( ૮ ) આગ્રા, તેંહપુર સીક્રી, લાહેાર, બુરહાનપુર અને માલપુર વગેરે સ્થળામાં નવાં જિનાલય અને ઉપાશ્રયે બનાવવાની રજા આપી. (૯) અહિંસા ( અમારિ )નું ફરમાન: પર્યુષણના દિવસેામાં કોઇ પણ સ્થાને કોઈ પણ પશુપક્ષીની હિંસા કરવાની મનાઈ ફરમાવી. આ હુકમ હુંમેશને માટે છે એમ જણાવી, આ રીતનું ફરમાન કાઢી પોતાના જુદા જુદા પાંચ પ્રદેશમાં અને એક શ્રી હીરવિજયસૂરિને ફત્તેહપુર સિક્રીમાં વિ. સં. ૧૬૪ના આપ્યુ હતું..
શાસનપ્રભાવક
(૧૦) જૈન ધ ગુરુએ અને ધમ સ્થાનેાની રક્ષાનું ફરમાન : યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા (જૈન સાધુ ) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજૂરમાં હાજર થવાનુ માન મેળવ્યુ છે; અને જે અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યેગાભ્યાસનું ખરાપણુ, વધારે અને પરમેશ્વરની શેાધ ઉપર નજર રાખી હુકમ થયે કે તે શહેરના ( તે તરફના ) રહેવાસીએમાંથી કાઇ એ એમને હરકત ( અડચણ ) કરવા નહિ, તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી, જો તેમાંનું (મંદિરે કે ઉપાશ્રયાનું ) કંઇ પડી ગયું હાય કે ઉજ્જડ થઈ ગયુ હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કેઈ તેને સુધારવા કે તેના પાયે નાખવા ઇચ્છે તે તેને કોઈ ઉપલક જ્ઞાનવાળા ( અજ્ઞાની )એ કે ધર્માન્ચે અટકાવ કરવા નિહ. અને જેવી રીતે ખુદાને નહે એળખનારા, વરસાદને અટકાવ અને એવાં ખીજા કાર્યો, જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટ આપે છે, એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં છે કે જે તમે સારા નસીબવાળા અને બાહેશ છે, તેમના હાથે થવાં જોઈએ નહિ....તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયા કરવામાં ચિંતાતુર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org