________________
પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ-રાસ
મુનિસુંદરસૂરિ એકાવનમેં પાટે ગુણગણદરિયા છે; સહસ્ત્રવિધાની બાલપણુથી તાય જિહાં વિચરિયા છે. અધ્યાત્મકલ્પદ્રુમ નામે સાંતિકર જિણે કીધું છે; એકસે આઠ હાથને કાગલ લિખિને ગુરુને દીધું છે. એક આઠ વર્તુલિકાના રવ ભિન્ન ભિન્ન ઓળખિયા છે; ઉપદેશરત્નાકર જિણે કીધે વાદિગેકુલસઢ લખિયા છે. ઈત્યાદિક બહુ ગ્રંથના કર્તા શ્રી જયાનંદચરિત્ર છે; જિણે કીધું નાના રસ સંયુત બહુ વૈરાગ્ય પવિત્ર છે. તેહ ચરિત્રથી રાસ રમેં એાછા અધિક લિખા છે; તે મુઝ મિચ્છા દુક્કડ હે પાપ રતિ ન રખાયે જી.
દેવવંદન, સ્તવન, સઝાય આદિ ચોવીસી બે. માસી દેવવંદન. ચોવીસી દંડક ગર્ભિત વીર જિન સ્તવન. ખંભાત ચૈત્યપરિપાટી સ્તવ. સમકિત પચીસી સ્તવન ૨૦ સં. ૧૮૧૧. સિદ્ધચક્ર સ્તવ તથા સિદ્ધાચલાદિ અનેક તીર્થ સ્તવનસંગ્રહ તથા સિદ્ધચક્રાદિ નમસ્કાર સંગ્રહ. સિદ્ધદંડિકા સ્તવન ૨૦ સં. ૧૮૧૪. પંચકલ્યાણ સ્તવન ૨૦ સં. ૧૮૧૭. પંચકલ્યાણક માસાદિ ગર્ભિત સ્તવન. આ સિવાય બીજા તીર્થ સંબંધીના, સંઘયાત્રા સંબંધીના, સીમંધર આદિ જિનસ્તવનો તેમ સઝાય, ગહેલીઓ, થેય-સ્તુતિઓની રચનાઓ કવિ શ્રી પદ્મવિજયજીએ એમના કવિ નામને સાથે કરી બતાવે એવી સરસ રીતે કરી છે. તેમનાં સ્તવનોમાં જે ભાવ બતાવેલ છે તે કાવ્યદષ્ટિએ વિશેષ રસિક છે. ચોમાસી દેવવંદનમાં આદિનાથના પ્રથમ જિનેશ્વર સ્તવનમાં ચેત્રીશ અતિશયનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું છે તેવી રીતે બીજા સ્તવનમાં પણ જોવામાં આવે છે. અને સ્તુતિઓ–થોમાં તો તેઓ યમકનો ચમત્કાર બતાવ્યા વિના રહેતા નથી –
આદિ જિનવર રાયા જાસ સેવન કાયા, મરદેવી માયા ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા શહચારિત્ર પાયા,
કેવલશ્રી રાયા મેક્ષનારે સિધાયા. (૧) પ્રસ્તુત રાસમાં તેમણે કરેલું મેઘનું વર્ણન ઉપરની હકીકતને એક સુંદર નમૂનો છે–
એક દિન પાઉસ આ રે, કામિની વિરહ અગનિ થકી ધૂમલેખા ઘનમાળા રે; વિસ્તરી ગગને તેણેિ કરી મેધ હુઆ માનું કાલા રે. દિશિવધૂને આભર્ણ પરિ જલદા ભર્તાઇ દીધું રે; ચમકે ચિંહું દિશિ વીજ તે કનકમયી સુપ્રસીધું રે. કિંડિમ પાઉસ રાયને આરિ દિશ વિસ્તરીઓ રે; હું રાજા છું ઈણિ પરં લોક ગરોં ભરીએ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org