________________
૧૪૨ )
જ્ઞાનાંજલિ
એ એ પ્રથા આમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે, પણ બાકીના ત્રણ ગ્રંથેાના આચાર્યે કેરી રીતે સમાવેશ કર્યા છે એ સ્પષ્ટ રીતે સમજવું ધણું કઠિન છે. ખાસ કરીને આજે જે એ પ્રથા આપણને મળતા નથી એવા સત્કર્મો અને કષાયપ્રાભૂતને સમાવેશ આચાયે કયે ઠેકાણે અને કેવી રીતે કર્યાં છે એ સમજવાનું કે કલ્પના કરવાનુ કામ તે। અત્યારે આપણા માટે અશકય જ છે. આ સ્થિતિમાં આપણે એટલુ અનુમાન કરી શકીએ કે કપ્રકૃતિ અને સપ્તતિકા એ બે પ્રથાના વિષયે અતિ સ્વતંત્ર હાઈ આચાર્યે એ એ ગ્રંથૈને સ્વતંત્ર રીતે આમાં સંગ્રહ્યા છે અને બાકીના ત્રણ પ્રથાને વિષય પરસ્પર સંમિલિત થઈ જતા હોઈ તે ગ્રંથાને સ`મિલિત રૂપે સંગ્રહ્યા હશે.
ભગવાન શ્રી ચંદ્રષિ મહત્તરે પ્રસ્તુત ગ્રંથમાં શતક આદિ જે પાંચ થાને સંગ્રહ કર્યો છે, તે પૈકી એક પણ ગ્રંથના નામનેા સાક્ષી તરીકે સ્વાપર ટીકામાં કાંય ઉલ્લેખ કર્યાં નથી. પરંતુ આચાય શ્રી મલયગિરિની ટીકામાં કષાયપ્રાભૂત સિવાયના ચાર ગ્રંથાનેા પ્રમાણુ તરીકે અનેક ઠેકાણે ઉલ્લેખ થયેલા જોવામાં આવે છે. સત્કર્મના ઉલ્લેખ॰ તેમણે એ ઠેકાણે કર્યાં છે પણ તે એક જ રૂપ હાઈ ખરી રીતે એ એક જ ગણી શકાય. શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ ત્રણ ગ્રંથા અત્યારે અલભ્ય હાઈ એ વિષે આપણે ખાસ કશું જાણી કે કહી શકતા નથી.
આ ઠેકાણે આપણે એટલું કહી શકીએ કે, આચાર્ય શ્રી મલયગિરિ સમક્ષ સકશાસ્ત્ર વિદ્યમાન હતું, પરંતુ કષાયપ્રામૃત ગ્રંથ તે તેમને આપણી જેમ લભ્ય નહેાતે જ; નહિ તે તેએ આ ગ્રંથને ઉલ્લેખ કાઈ તે કઈ ઠેકાણે કર્યા સિવાય રહેત નહિ.
આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તરે પાંચસ’ગ્રહ ગ્રંથમાં જે પાંચ થાનેા સંગ્રહ કર્યાં છે તે પૈકી શતક, સપ્તતિકા અને કર્મપ્રકૃતિ એ મૌલિક ગ્રંથે શ્વેતાંબરાચાર્ય કૃત જ છે એ વસ્તુ અત્યારે મળતા આ ત્રણ ગ્રંથા સાથે પોંચસંગ્રહમાં સંગૃહીત વિષયની સરખામણી કરતાં નિર્વિવાદ રીતે સમજી શકાય છે. ફક્ત સત્કર્મ અને કષાયપ્રાભૂત એ એ શાસ્ત્ર, જે અત્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં લક્ષ્ય ન હેાઈ, દિગંબર સપ્રદાયમાં લભ્ય હાવાનું માનવામાં આવે છે. એટલે આચાર્ય શ્રી ચદ્રષિએ સંગૃહીત સત્કર્મ અને કષાયપ્રાભૂત ગ્રંથા દિગંબમાન્ય ગ્રંથા હશે કે શ્વેતાંબરમાન્ય સ્વતંત્ર ગ્રંથા હશે એ શકા સ્વાભાવિક રીતે જ ઉપસ્થિત થયા સિવાય રહી શકતી નથી. આનું સમાધાન સ્પષ્ટ રૂપે કરવુ ધારી લઈ એ તેટલું સરળ ભલે ન હોય, તે છતાં એટલી વાત તે। નિર્વિવાદ છે કે પ્રસ્તુત પાંચસ ગ્રહ શાસ્ત્રમાં શ્વેતાંબરાચાર્ય કૃત પ્રકરણાના સંગ્રહને જ સ`ભવ અધિક સ`ગત તેમ જ ઔચિત્યપૂર્ણ છે. અહીં એક વસ્તુ સ્પષ્ટ કરી દેવી યેગ્ય છે કે, · કષાયપ્રાભૂત એ નામ પ્રાભૂતશબ્દાન્ત હેાઈ સમયપ્રામૃત, ષટ્કાભૃત વગેરે પ્રાભૃતાન્ત ગ્રંથા દિગંબર સંપ્રદાયના હાઈ કષાયત્રાભૂત ગ્રંથ પણ દિગ બરાચામૃત હાવા જોઈ એ,' એમ કાઈ ને લાગે; આ સામે એટલું જ કહેવુ ખસ છે કે, શ્વેતાંબરમાન્ય ગ્રંથરાશિમાં સિદ્ઘપાહુડ, સિદ્ધપ્રાભૃત, કર્મપ્રાભૂત વગેરે ગ્રંથા સુપ્રસિદ્ધ છે, એ રીતે શ્વેતાંબર સંપ્રદાયમાં કષાયપ્રભૃત ગ્રંથ હેાવામાં બાધક થવાને કશુ' જ કારણ નથી. પ્'ચસંગ્રહ વગેરેની જેમ સમાન નામના અને સમાન વિષયના ગ્રંથે! આજે પણ લભ્ય છે.
<
૧. ये पुनः सत्कर्माभिधग्रन्थकारादयस्ते क्षपकक्षीणमोहान् व्यतिरिच्य शेषाणामेव निद्राद्विकस्योदयमिच्छन्ति । तथा च तद्ग्रन्थः - " निद्दादुगस्स उदओ, खीण ( ग ) खवगे परिचज्ज | તન્મ तेनोदीरणाऽपि इत्यादि ॥ मुक्ता० आवृत्ति पत्र ११६ ।
''
11
,,
તવૃત્ત' સર્મપ્રત્યે-‘નિર્દ્યુત ઉદ્દબો, લીલવો વચન ।। पत्र २२७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org