SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય અને પંથસ ંગ્રહ [ ૧૪૩ ** પાંચસંગ્રહ ઉપર સ્નાપન અને આચાર્ય શ્રી મલયગિરિરિકૃત એમ એ સમ ટીકાઓ મળે છે, જે અનુક્રમે દશ હજાર અને અઢાર હજાર શ્લાક પ્રમાણ છે. આ બન્નેય ટીકાએ એકીસાથે અતિ વ્યવસ્થિત રૂપમાં “ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર, ડભાઈ ” તરફથી પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે. તેમ જ શ્રેષ્ઠિવ દેવચંદ લાલભાઈ વગેરે તરફથી આ ટીકાએ છૂટી છૂટી પણ પ્રકાશિત થઈ ચૂકેલ છે. આ ઉપરાંત ખંભાતના શાંતિનાથના તાડપત્રીય જૈન જ્ઞાનભંડારમાં વા(રા ?)મદેવકૃત ૨૫૦૦ સ્લેક પ્રમાણ દીપક નામની ટીકા હોવાની નોંધ મળે છે, પરંતુ આ ટીકા મારા જોવામાં હજી સુધી આવી નથી. આ દીપક ગમે તેવા હોય તે છતાં કહેવું જોઇ એ કે સ્વાપર ટીકા અને મલયગિરિષ્કૃત ટીકાની કક્ષાથી એ હેઠળ જ હશે અથવા આ ટીકાને અનુસરીને જ એ સક્ષિસ કૃતિ બની હશે. પસ ગ્રહકારતા સમય પાંચસંગ્રહકાર આચાર્ય કયા સમયમાં થયા હશે અથવા તેઓશ્રી કઈ શાખાના હશે ઇત્યાદિ વિષે કશેય સ્પષ્ટ ઉલ્લેખ કયાંય જોવામાં આવતા નથી. ફક્ત સ્વાપન ટીકાના અંતની પ્રશસ્તિમાં પેાતે પાનિા શિષ્ય છે એટલુ જ જણાવ્યું છે. એટલે પંચસ ંગ્રહકાર ભગવાન શ્રી ચંદ્રષિ શ્રી પાર્શ્વ વિના શિષ્ય હતા એથી વિશેષ આપણે એમને વિષે ખીજું કશું જ સ્પષ્ટ રૂપમાં જાણી શકતા નથી. તેઓશ્રી મહત્તરપદ વિભૂષિત હતા કે કેમ એ વિષેના ઉલ્લેખ પણ તેમની કૃતિમાં મળતા નથી. સ્વાપન્ન ટીકામાં પેાતા માટે ‘અવિળા' ચન્દ્રર્ધ્યમિધાનેન સાધુના એટલે જ ઉલ્લેખ છે; તેમ જ આચાય શ્રી મલયગિરિએ પણ મયા ચન્દ્રવિનાન્ના સાધુના એટલા જ ઉલ્લેખ કર્યાં છે. આમ હોવાથી પાંચસંગ્રહકાર આચાર્યં મહત્તરપદ વિભૂષિત હતા એ માટે બીજા સામાન્ય રીતે ચાલુ ઉલ્લેખના જ આધાર આપણે રાખી શકીએ. આચાર્ય શ્રી ચ ંદ્રષિના સત્તાસમય વિષે એટલું જ અનુમાન કરી શકાય કે, ગર્ષિ, સિષિ, પાર્ષ, ચદ્રષિ આદિ ઋષિ શબ્દાન્ત નામેા મેટે ભાગે નવમી–દશમી શતાબ્દીમાં વધારે પ્રચલિત હતાં. એટલે પ`ચસંગ્રહકાર આચાર્ય શ્રી ચંદ્રષિ મહત્તર નવમાદશમા સૈકામાં થઈ ગયેલા હાવા જોઈ એ. એ જમાનામાં મહત્તરપદ પણ ચાલુ હતું એટલે ચર્ષિ મહત્તરના ઉપર જણાવેલ સત્તા સમય માટે ખાસ કોઈ બાધ આવતા નથી. ‘ઉપમિતિભવપ્રપ’ચા કથા'ના પ્રણેતા આચાર્ય શ્રી સિદ્ધષિના ગુરુ ગષિના પ્રગુરુ દેલ મહત્તર મહત્તરપદ વિભૂષિત હતા. ચંદ્રષ્ટિ મહત્તરની અન્ય કૃતિએ ભગવાન શ્રી ચંદ્ર મહત્તરકૃત શ્ર'થામાં પચસંગ્રહ અને તેના ઉપરની સ્વાપન્ન ટીકા સિવાય તેમની બીજી કઈ કૃતિ હજી સુધી જોવામાં નથી આવી. સિત્તરિ–સપ્રતિકા કČગ્રંથ તેમની કૃતિ તરીકે પ્રચલિત છે; પરંતુ એ માન્યતા ભૂલભરેલી છે, એ મેં શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થયેલ કગ્રંથના ખીજા વિભાગની મારી પ્રસ્તાવનામાં સ્પષ્ટ રીતે સાબિત કર્યું' છે. આ ઉપરાંત સિત્તરિ કર્મગ્રંથ ઉપરની પ્રાકૃત વૃત્તિ-ચૂર્ણિ તેમની કૃતિ હોવાનું માનવામાં આવે છે; પરંતુ સિત્તરિચૂર્ણિની અર્વાચીન પ્રતિના અંતમાં તેવા કશા ઉલ્લેખ મળતેા નથી, અને પ્રાચીન તાડપત્રીય પ્રતિ, જે મારા જોવામાં બે–ત્રણ આવી, તે અંતમાંથી ખડ઼િત થઈ ગયેલી હાઈ એ વિષે ચાક્કસપણે કશુ જ કહી શકાય તેમ નથી. 1. अभूद् भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे || उपमितिभवप्रपंचकथा प्रशस्ति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230109
Book TitleJain Karmasahitya ane Panchsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages7
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size531 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy