________________
૫૮
સંધારો ન કરવો એવી મારી ભલામણ છે.' આર્યરક્ષિતે એ ભલામણનો સ્વીકાર કર્યો.
શ્રી પતીન્દ્રસૂરિ ડીસારાના ડિસ્ટ સંચ
ભદ્રગુણાચાર્યના અનશનવ્રત લેવામાં નિર્ણાયક તરીકે આર્યશ્ચિતે કર્તવ્ય બજાવ્યું. ભદ્રગુણાચાર્ય કાળધર્મ પામ્યા. ત્યારપછી આર્યરક્ષિત વિહાર કરતા કરતા પુરી નગરીમાં પહોંચ્યાં. સાંજ થવા આવી હતી. એટલે તેઓ વજસ્વામીના ઉપાશ્રયે ન જતાં ભગુભાચાર્યની સલાહ અનુસાર નગર બહાર એક સ્થળે રાત રોકાયા.
એ રાત્રે વજસ્વામીને એક શુભ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એમણે યું કે કોઈ એક અતિષિ તેમની પાસે આવ્યો છે. એ અનિધિએ તેમના પાત્રમાંથી દૂધ પીધું, પરંતુ થોડુંક દૂધ પાત્રમાં બાકી રહી ગયું.
પ્રભાતે વજસ્વામીએ પોતાના શિષ્યોને સ્વપ્નની વાત કરી અને એનું રહસ્ય સમજાવ્યું કે ‘કોઈ પ્રશાશીલ સાધુ મારી પાસે અહીં આવશે, તે મારી પાસેથી પૂર્વત મણ કરશે પરંતુ તે પોતાનું અધ્યયન પૂરું નહિ કરી શકે. છેલ્લું થોડુંક અધ્યયન બાકી રહી જશે.'
આ સ્વપ્નની વાત થયા પછી થોડી વારમાં જ આર્યરક્ષિત ત્યાં આવી પહોંચ્યા. વજસ્વામીને હાદાવર્તપૂર્વક વંદન કરીને તે તેમની પાસે બેઠા. પોતે નાસીપુત્રના શિષ્ય છે. અને પૂર્વદ્યુતનું જ્ઞાન મેળવવાની ભાવનાથી આવ્યા છે એ વાત કરી. એ જાણીને વજ્રસ્વામીને અત્યંત આનંદ થયો. વાતવાતમાં ખબર પડી કે આર્યરક્ષિત તો આગલી સાંજે જ આવી ગયા હતા, અને નગરની બહાર રહ્યા હતા. વળી તેઓ ત્યાં જ રહીને રોજેરોજ ભણવા આવવા ઇચ્છે છે. વજ્રસ્વામીએ કહ્યું, ‘નગર બહાર રહીને તમે કેવી રીતે ભણશો ? અધ્યયન માટે તો અહીં મારી પાસે જ આવીને
રહો તો વધુ અનુકૂળતા રહે. આર્થરચિત તત જ ભદ્રગુપ્તાચાર્યે આપેલી શિખામણની વાત કહી. સાધુ મહાત્માઓને કશું છુપાવવાનું ન હોય. તેમનામાં માયાચાર ન હોય. આર્યરક્ષિતે જ વજસ્વામીને ભગુભાચાર્યના કાળધર્મના સમાચાર આપ્યા. ભદ્રગુણાચાર્યે જ પોતાને બહારના ઉપાશ્રયમાં રહેવાની ભલામણ કરી છે એ પણ જણાવ્યું. ભદ્રગુપ્તાચાર્યે આવી સલાહ કેમ આપી હશે તે વજસ્વામીને તરત સમજાયું નહિ. એટલે આ વાતનું રહસ્ય સમજવા માટે વજ્રસ્વામી અંતર્મુખ બની ગયા. એમને પોતાની જ્ઞાનલબ્ધિથી તરત જાણવા મળ્યું કે પોતાના જીવનનો અંતકાળ હવે નજીકમાં છે અને પોતાને જો અનશન કરવાનો ભાવ જાગશે તો આર્યરક્ષિતને પણ પોતાની સાથે રહેવાથી એવો ભાવ જાગશે. જો એમ થાય તો આર્યરક્ષિત પોતે મેળવેલા પૂર્વશ્રુતના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરી શકે ? યુવાન આર્યરક્ષિત દીર્ઘજીવન જીવે તો જ તેઓ બીજાઓને પૂર્વશ્રુત ભણાવી, શાસનની સેવા સારી રીતે કરી શકે. માટે ભગુમાચાર્યે આ કારણથી જ આર્યરક્ષિતને પોતાનાથી જુદા રહેવાનું કહ્યું છે એમ તેમને તરત સમજાઈ ગયું. ભદ્રગુપ્તાચાર્યની આવી દીર્ઘદષ્ટિથી વજ્રસ્વામીને ઊલટાનો આનંદ થયો. આર્યરક્ષિતના નિર્ણથી તેઓ પ્રસન્ન થયા અને આર્થયિતને રાત્રિ મુકામે બીજે કરવા માટે સહર્ષ સંમતિ આપી.
Jain Education International
વજસ્વામીએ આર્યરક્ષિતને અભ્યાસ કરાવવાનું શરૂ કરી દીધું. બુદ્ધિમાન અને તેજસ્વી આર્યરક્ષિતે ઝડપથી નવપૂર્વનો અભ્યાસ પૂરો કરી લીધો. ત્યારપછી દસમા પૂર્વના યમકોનો અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસ ઘણો જ કઠિન અને દીર્ઘકાળ ચાલે એવો હતો. એમાં વાચના લેવામાં, અર્થ સમજવામાં તથા સૂક્ષ્મ રહસ્યો ગ્રહણ કરવામાં ઠીક ઠીક વાર લાગતી હતી.
આર્યરચનને અહીં આવ્યાને ઘણો વખત થઈ ગયો હતો. બીજી બાજુ એમનાં માતાપિતા તથા ગુરુ મહારાજ તસલીપુત્ર આતુરતાપૂર્વક તેમના પાછા ફરવાની રાહ જોતાં હતાં. આર્યકિતને પોતાના મુકામે પાછા ફરવા વારંવાર તેઓ સંદેશા મોકલાવવા લાગ્યાં. પરંતુ સમા પૂર્વનો અભ્યાસ પૂરો કરાવવાની ભાવનાથી ગુરુ વજસ્વામી રજા આપતા નહોતા, કારણ કે ભગુભાચાર્યના કાળધર્મ પછ દસપૂર્વધર તરીકે હવે માત્ર વજસ્વામી પોતે એકલા જ રહ્યા હતા. છેવટે આર્યરક્ષિતને લેવા એમના ભાઈ ફલ્ગુરક્ષિત જાતે આવ્યા. તો પણ આર્યરક્ષિત ગયા નહિ. પરંતુ ત્યારપછી તો ઉપરાઉપરી સંદેશાઓ દ્વારા દબાણ આવવા લાગ્યાં તેથી તેઓ નિરુપાય થઈ ગયા. એટલે આર્યરક્ષિતે સ્વામી પાસે એક વખત પોતાના નગરમાં જઈને પાછા આવવા માટે આજ્ઞા માગી. વજસ્વામીએ પોતાના વિશિષ્ટ સાનથી જાણી લીધું કે આર્યદિન અહીંથી ગયા પછી પાછા આવી શકશે નહિ. વળી પોતાનું આયુષ્ય પણ હવે બહુ ઓછું બાકી રહ્યું છે. એટલે દસના પૂર્વનો કેટલોક ભાગ ભણાવ્યા વિનાનો જ રહી જશે. પરંતુ એ તો બનવાનું નિર્માયેલું લાગે છે. વજસ્વામીએ આર્યશિતને જવા માટે રજા આપી.
વરસ્વામીની રજા લઈ આર્યકિત પોતાના નગરમાં પહોંચ્યા. એમનાં માતાપિતા અને સ્વજનોને બહુ આનંદ થયો. આર્યરક્ષિતે રાજાને તથા પ્રજાજનોને જૈનધર્મની મહત્તા સમજાવી. એમના ઉપદેશથી પ્રભાવિત થઈ તેમનાં માતા રુદ્રસોમાએ તથા પિતા સોમદેવે એમની પાસે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી.
છેવટે વજસ્વામીએ ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. આરક્ષિત પોતાના નગરમાં ગયા પાછી એવાં કાર્યોમાં પરોવાઈ ગયા કે તેઓ તરત આટલો લાંબો વિહાર કરીને આવી શક્યા નહિ.
આમ છતાં વજસ્વામીએ આર્યરહિતસૂરિને નવપૂર્વેનું અધ્યયન કરાવી દીધું એ એક મોટું અને મહત્ત્વનું કાર્ય થયું. આર્યરક્ષિત દસપૂર્વધર થઈ શક્યા નહિ. એટલે સ્વામી જ છેલ્લા દપૂર્વધર રહ્યા.
વજ્રસ્વામીના હાથે જે એક બીજું મહત્ત્વનું કાર્ય થયું તે શત્રુંજય તીર્થના ઉદ્ધારનું હતું. શત્રુંજય તીર્થનો અધિષ્ઠાતાદેવ કદર્પી યક્ષ પ્રભુનો ભક્ત હતો, પરંતુ મોહનીય કર્મના કારમા ઉદયને કારણે તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. જે રક્ષક હતો તે જ ભક્ષક બની કર્યા હતો. તેનાં અપકૃત્યો વધવા લાગ્યાં. તીર્થભૂમિમાં મદ્યપાન, માંસભક્ષણ, શિકાર જેવી ઘણી પાપલીલાઓ ચાલવા લાગી. એટલે લોકોની ત્યાં યાત્રાએ જવાની હિંમત ચાલતી નહિ, જેઓ હિંમત કરીને ત્યાં જવાનો પ્રયત્ન કરતા તેઓ જીવતા પાછા આવતા નહિ.
વજ્રસ્વામીએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમને થયું કે હવે તીર્થના દ્વારનો સમય પાકી ગયો છે. તેઓ પંચ મહાવ્રતધારી સાધુ મહાના
For Private & Personal Use Only
www.jainelibrary.org