SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાના પહેલા અધ્યાયમાં જે વિષાદ થયો હતો, તે વિષદ મનમાં લાવીને ભીષ્મને તે કહે છે : , ____ वनमेव गमिष्यामि तस्माद् धर्मचिकीर्षया । “વનમાં “મૂલલાશન મુનિ' બનીને ધર્મની જ આરાધના કરીશ.” એટલે વળી પાછા જ્યાંના ત્યાં! ભીષ્મ એને ફરી સમજાવે છે: “તારામાં શુદ્ધ સત્ય જ, આશંસ્ય જ, ભારેભાર ભર્યું પડયું છે. પણ રાજ્ય શુદ્ધ આનૃશંસ્ય વડે ચલાવવું દુર્ધટ છે. વારે વારે “ધર્મ લેપના નામથી થડક્તા રાજાને લેકે ગણકારતા નથી; અને રાજા વગર અરાજક્તા થાય છે, અને ધર્મનું આચરણ કેાઈના માટે શક્ય નથી બનતું એ તને મેં ખૂબ વિસ્તારથી - આ પહેલાં પણ સમજાવેલ છે. ગીતાના શબ્દ વાપરીએ તે કઈ પણ કર્મ સદંતર દેષમુક્ત નથી, (સહä વર્ષ શૌન્તય સતોષ-પિ ન ) માટે પ્રાપ્ત કર્મ નિઃસ્વાર્થ, નિષ્કામ બુદ્ધિથી, સર્વના ઉદયના હેતુથી, કરવું જ. ૨૬૩. શાન્તિપર્વ અને કથાવસ્તુ વિષાદજનિત વૈરાગ્ય અને રાજ્યસંચાલનધર્મજનિત સંસારવાસબે વચ્ચે યુધિષ્ઠિરનું મન ડામાડોળ છે. ગીતાના શબ્દોમાં કહીએ તે એની બુદ્ધિ વ્યવસાયાત્મિકા કદી થતી જ નથી; અને કદાચ, આ જ કારણે પિતામહને એ પ્રશ્નો પૂછ્યા જ કરે છે; અને પિતામહ પણ, કદાચ સમય એ જ બધા રોગોનું ઓસડ છે, એવી ગણતરીએ વિસ્તારપૂર્વક જવાબો દીધે જાય છે. પણ પિતામહની એક ખૂબી છે. પુછાયેલા પ્રશ્નને સીધો જવાબ - આપવાને બદલે, પોતાની સ્મૃતિના ખજાનામાંથી એ કઈ જૂની દષ્ટાંતકથા કાઢે છે, અને પૂર્વે આવો પ્રશ્ન પુછાયેલો તેને જવાબ આ રીતે અપાયેલો છે, એમ કહીને બધીયે જવાબદારી પ્રાચીન પરંપરા પર નાખે છે! એ જમાને જ એવો હતો, જ્યારે માણસ પોતાના મૌલિક ચિન્તનને પણ કઈ પ્રાચીન ઋષિના ઉદ્દગારો કે વિચારો તરીકે ખપાવતા હતા. શાન્તિપર્વમાં આ રીતે ચર્ચાયેલા વિષયની વિગતવાર છણાવટ કરીએ, અને દરેક પ્રશ્નની સાથે સંકળાયેલ દષ્ટાન્તકથાઓ વર્ણવીએ તો તેને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy