SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પુરુરવા માતરિક્ષાને પૂછે છેઃ “બ્રાહ્મણે સમેત ચારે વર્ણો કેવી રીતે ઉત્પન્ન થયા અને બ્રાહ્મણને એ ચારેયમાં શ્રેષ્ઠ શા માટે ગણવામાં આવ્યો ?” માતરિશ્વા એને જાણીને જવાબ આપે છે, અને ઉમેરે છે કે બ્રાહ્મણ “ધર્મ કેશની રક્ષા અર્થે છે, જ્યારે ક્ષત્રિય રાજ્ય-કેશ”ની રક્ષા અથે છે. પણ બ્રાહ્મણની તેની વ્યાખ્યા માત્ર જન્મજાતથી જ નથી વિરમતી. બ્રાહ્મણ તે મહાભારતકારને મન, તે જ છે જે કૃતવૃત્તોડન, ધર્મા, તપસ્થિ, સ્વધર્મપરિતૃત અને -વિત્તર: હેય. આવા બ્રાહ્મણ પુરોહિતના સલાહસૂચનથી રાજ્યનું સંરક્ષણ કરતા રાજાને માતરિશ્વાએ આ શ્લેકમાં બિરદાવ્યો છે. इन्द्रो राजा यमो राजा धर्मो राजा तथैव च। . राजा बिभर्ति रूपाणि राज्ञा सर्वमिदं धृतम् ॥ પણ બ્રાહ્મણની–સાચા બ્રાહ્મણની સમાજને ઉપયોગિતા છે, તેટલી જ ક્ષત્રિયની–સાચા ક્ષત્રિયની તેને ઉપયોગિતા છે. સમાજની ધારણા આ બન્ને વચ્ચેના સુસંવાદ, સમન્વય ઉપર અવલંબે છે. એની સાથે થયેલ કશ્યપના એક સંવાદને ટાંકીને ભીષ્મ કહે છે? मिथोभेदाद् ब्राह्मणक्षत्रियाणां . .. प्रजा दुःखं दुःसहं चाविशन्ति । બ્રાહ્મણે અને ક્ષત્રિય વચ્ચે પરસ્પર વિરોધનું વાતાવરણ ઊભું થાય ત્યારે પ્રજા દુસહ દુઃખમાં પ્રવેશ કરે છે. ખરી વાત તો એ છે કે, ત્રણ વર્ષથતિ ક્ષત્ર લકતો દ્રા વિવધતા. બ્રાહ્મણ ક્ષત્રિયનું સંવર્ધન કરે છે; અને ક્ષત્રિય બ્રાહ્મણનું સંવર્ધન કરે છે; કારણ કે બ્રાહ્મણમાં તપોબલ અને મંત્રબલે છે, જ્યારે ક્ષત્રિયમાં અસ્ત્રબલ અને બાહુબલ છે. અને સમાજને એ ચારેય બળની જરૂર છે. પણ લાગે છે કે રાજધર્મની આટઆટલી પ્રશંસા ભીષ્મ જેવાને એ સાંભળવા છતાં યુધિષ્ઠિરના મનનું સમાધાન નથી થતું, રાજ્યની પ્રાપ્તિ અને એનું સંરક્ષણ જે જે ઉપાય દ્વારા થાય છે તે બધા એને. ધર્માધમમિશ્રિત"લાગે છેસર્વથા વિશુદ્ધ નથી લાગતા. એટલે અર્જુનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy