________________
સંભાળ રાખવી જોઈએ. આ કારણે રાજામાં ફરતા અને કોમળતા બંને ભાવનું મિશ્રણ હોવું જોઈએ. • પ્રજાની રક્ષા કરતાં રાજાના પ્રાણ ચાલ્યા જાય તે પણ તેને માટે તે મહાન ધર્મ છે. રાજાઓને વ્યવહાર અને વર્તન આ પ્રકારે જ હેવા જોઈએ.”
વ્યાસજી લખે છે કે ભીષ્મને આ સંભાષણને કૃષ્ણ તેમ જ મુનિઓએ સાધુ સાધુ'! કહીને અત્યંત પ્રસન્નતાપૂર્વક વધાવ્યું. પણ યુધિષ્ઠિર તા. હજુ તનમના જ હતો. અકૃપૂર્ણ નેત્રો વડે પિતામહને પગે લાગીને તેણે કહ્યું :
श्व इदानीं स्वसन्देहं प्रक्ष्यामि त्वां पितामह । “મારા મનમાં હવે જે કંઈ સંદેહ છે તે હું આપને આવતી કાલે પૂછીશ. સવિતા અસ્તાચળ તરફ જઈ રહ્યો છે–પૃથ્વીના રસનું પાન કરીને (રમ્ આપી વાવ); માટે વિરમીએ.”
પછી ત્યાં આગળ ઉપસ્થિત એવા બધા મુનિઓને વંદન કરી, પિતામહની પ્રદક્ષિણા કરી, કૃષ્ણ અને કૃપાચાર્ય વગેરેને લઈને યુધિષ્ઠિર વગેરે પોતપોતાના રથમાં બેઠા અને પછી દુષવતી નદી પાસે વિધિપૂર્વક સંધ્યોપાસના કરી હસ્તિનાપુરમાં પ્રવેશ્યા.
૨૬૦. રાજ શબ્દની ઉત્પત્તિ
બીજા દિવસની સવારે તેઓ પાછા કુરુક્ષેત્રમાં ભીષ્મ પાસે આવ્યા; અને પિતામહને સુવાં જ જ્ઞની પૃ – “આપની રાત તે સુખપૂર્વક વિતી છે ને?” એમ પૂછીને, વ્યાસ વગેરે ઋષિઓને વંદી ભીમને વીંટળાઈને સૌ બેઠા અને યુધિષ્ઠિરે હાથ જોડીને પોતાને પ્રશ્ન રજૂ કર્યો.
“આ “રાજા” એ શબ્દ સૌથી પહેલાં કેવી રીતે ઉત્પન્ન થયો ?” યુધિષ્ઠિર પૂછે છે, “ જેવા બીજા હજારો લાખો માનવીઓ છે, તેવો જ રાજા પણ એક માનવી જ છે, છતાં એ માનવી, એ રાજા વિશિષ્ટ બુદ્ધિવાળાઓ ઉપર તેમ જ શુરવીર ઉપર શાસન શી રીતે ચલાવી શકે છે? આખું જગત એ ની પાસે, જેમ દેવની પાસે, વિનમ્ર થઈને રહે છે, તેની પાછળનું કારણ અસ્ત્ર તે નહિ જ હોય!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com