SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિધર્મનું પાલન, ઉત્થાન, શત્રુની અન અવજ્ઞા, અનુપેક્ષા, અને અનાર્યતા તથા અનાર્રાના ત્યાગ, આમાં પણ ઉત્થાન’ની પ્રશંસા કરતાં પિતામહ થાકતા જ નથી. બૃહસ્પતિના મત પ્રમાણે ‘ ઉત્થાન’ એ રાજધર્મનું ‘ મૂલ ’ છે એમ તે કહે છે. અને પ્રાચીન પરંપરાના નીચેના ક્લાક ટાંકે છેઃ उत्थानेनामृतं लब्धमुत्थानेनासुरा हताः । उत्थानेन महेन्द्रेण श्रेष्ठ्यं प्राप्तं दिवीह च ॥ उत्थानवीरः पुरुषो वाग्वी रानधितिष्ठति । उत्थानवीरान् वाग्वी रमयन्त उपासते ।। उत्थानहीनो राजा हि बुद्धिमानपि नित्यशः । प्रधर्षणीयः शत्रूणां भुजङ्ग इव निर्विषः || राज्यं हि सुमहत् तन्त्रं धार्यते नाकतात्मभिः । न शक्यं मृदुना वोढुमा बासस्थानमुत्तमम् ॥ राज्यं सर्वामिषं नित्यमार्जवेनेह धार्यते । तस्मान्मिश्रेण सततं वर्तितव्यं युधिष्ठिर ॥ यद्यप्यस्य विपत्तिः स्याद् रक्षमाणस्य वै प्रजाः । सोऽप्यस्य विपुलो धर्म एवंवृत्ता हि भूमिः ॥ દેવરાજ ઇન્દ્રે ઉદ્યોગથી જ અમૃત પ્રાપ્ત કર્યું અને અસુરાના સંહાર કર્યા તથા ઉદ્યોગથી જ દેવલાકમાં અને પૃથ્વીલેાકમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી. ઉદ્યોગી જના વાણીશ્રા (વાવી) પુરુષો પર પેાતાનું આધિપત્ય જમાવે છે. ઉદ્યોગવીરાની પ્રસન્નતા માટે વાણીવીા તેમની ઉપાસના કરતા હોય છે. ઉદ્યોગહીન રાજા, બુદ્ધિમાન હેાવા છતાં પણુ, વિષહીન સર્પીની પેઠે સદા શત્રુઓથી પરાસ્ત થતા રહે છે. જેણે પેાતાના મનને વશ કર્યુ” નથી એવા ક્રૂર સ્વભાવવાળા રાજા રાજ્યના વિશાળ તંત્રને સંભાળી શકતા નથી, તેમ બહુ કામળ પ્રકૃતિવાળા રાજા પણ રાજ્યભાર વહન કરી શકતા નથી. રાજ્ય સર્વના ઉપભાગની વસ્તુ છે. તેથી સદા સરળ ભાવથી તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy