________________
૫૮
દબડાવતો ફરતો હતો. આજે તે બ્રહ્મદંડને પ્રતાપે નષ્ટ થયું છે અને જગતને માથેથી એક પનોતી ઊતરી છે. તમારે દુઃખી થવા જેવું આમાં કશું જ નથી, મહારાજ ”
૨૫૫. રાજ્યાભિષેક "
આ પછી યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થાય છે. તમન્યુ અને તન્વર એ યુધિષ્ઠિર એક શ્રેષ્ઠ આસન પર પૂર્વાભિમુખ બેસે છે. એની બરાબર સન્મુખ ઝગારા મારતાં સુવર્ણ-આસને પર શ્રીકૃષ્ણ અને સાત્યકિ બેસે છે.. યુધિષ્ઠિરની બેય બાજુએ તેના બે ભાઈઓ–ભીમ અને અર્જુન-સુંવાળા મણિપીઠ પર બેસે છે. નકુલ અને સહદેવને લઈને પૃથા પણ નજીકમાં એક આસન પર બેસે છે. સુધર્મા, વિદુર, ધૌમ્ય અને ધૃતરાષ્ટ્ર પણ ઝગમગતાં જુદાં જુદાં આસને પર ગોઠવાય છે. ધૃતરાષ્ટ્રની બાજુમાં યુયુત્સુ, સંજય: અને ગાંધારી છે.
યુધિષ્ઠિર શ્વેત પુષોને, અક્ષતને, સ્વસ્તિકને, ભૂમિને, સુવર્ણને, ચાંદીને અને મણિને સ્પર્શે છે. આ પછી પ્રજાજને પુરોહિતને આગળ કરીને ધર્મરાજ પાસે પોતપોતાના ઉપહારો અને અભિષેકની સામગ્રી લઈને આવે છે. પછી કૃષ્ણની અનુજ્ઞા લઈને પુરોહિત ધૌમ્ય વેદીની રચના કરી વ્યાઘચર્મથી ઢંકાયેલા શુકલ અને સર્વતોભદ્ર અને અગ્નિની જવાળાઓના જેવા રંગવાળા આસન પર દ્રૌપદી અને યુધિષ્ઠિરને બેસાડીને વિધિપૂર્વક મંત્રો ભણીને હેમ કરે છે. પછી શ્રીકૃષ્ણ ઊઠે છે. અને પૂજાયેલા શંખ દ્વારા કુન્તીપુત્રને પૃથ્વીપતિ તરીકે અભિસિંચે છે. ?
સિંહાસનારૂઢ થયા પછી પહેલું કામ યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને નિર્ભય અને નિશ્ચિત્તે બનાવવાનું કરે છે: “મારું પ્રિય કરવા માગતા હોય તેવા સૌએ સમજી લેવું કે ધૃતરાષ્ટ્રને હું મારા પિતા તુલ્ય ગણું છું.” તેણે ઘોષણા કરાવી.
આ પછી ભીમને યુવરાજપદે સ્થાપે છે; બુદ્ધિસંપન્ન વિદુરને મંત્રીપદ સોંપે છે; નાણાખાતું સંજયને અને સૈન્યખાતું નકુલને સુપરત કરે છે; પરચક્ર અને પ્રહાંગણના દુષ્ટ પર ચાંપતી નજર રાખવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com