SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદારી અર્જુનને માથે નાખે છે; સાંસ્કૃતિક ક્ષેત્ર સંભાળવાનું કામ ધૌમ્યને સોંપે છે અને સહદેવને પોતાને અંગરક્ષક નીમે છે. . રાજ્યસંચાલનની આ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા સ્વજનેની પુણ્યસ્મૃતિ અથે સભાગારે, પરબો, તળાવે આદિ બંધાવે છે. પતિઓ અને પુત્રો માર્યા જતાં અસહાય અવસ્થામાં આવી પડેલી સ્ત્રીઓને તેમ જ અપંગોને છવાઈ બાંધી આપે છે. ૨૫૬. એક નવો અનુભવ પિતાના ચારેય ભાઈઓને તેમ જ અન્ય વિશ્વાસપાત્ર માણસોને તેમતેમને લાયક રાજકાર્ય સોંપીને નિશ્ચિત્ત બનેલ યુધિષ્ઠિર એક સવારે શ્રીકૃષ્ણ પાસે આવે છે અને એક છેલ્લીવાર જાણે તેમને આભાર માનત, હોય એવી રીતે કહે છે: હે બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ, રાતના ઊંધ તે તમને બરાબર આવી હતી ને? આપની કૃપાથી જ અમે આ રાજ્ય પામ્યા, એટલું જ નહિ, પણ એથીયે વિશેષ એ કે ધર્મ પાલનથી કદી પણ ભ્રષ્ટ ન થયા.” (૧ ર ધર્મષ્ણુતા વયમ્ !) વ્યાસજી કહે છે કે આ વખતે યુધિષ્ઠિરે એક અપૂર્વ આશ્ચર્ય અનુભવ્યું. તેની આ વાત સાંભળવા છતાં કૃષ્ણ તેને કશે જ પ્રત્યુત્તર ન. આયે. કૃષ્ણ જાણે કોઈ ઊંડા ધ્યાનમાં ખોવાઈ ગયા હતા. પવનને એક આછોપાતળો પણ ઝપાટે જ્યાં આગળ ન હોય, ત્યાં અગળ મૂકેલ દીપકની પેઠે તમે સ્થિર છે, દેવ, ” યુધિષ્ઠિરે તેમને ઉદ્દેશીને કહ્યું, “તમે પાન ફુવ નિશ્ચ૦: છો. તમારી ચેતના જાણે તમારા શરીરમાંથી નીકળી કોઈ અન્ય સ્થળે પહોંચી ગઈ છે. તે મને કહેશે, દેવ, તમે તેનું ધ્યાન ધરી રહ્યા છો ?” હું ધ્યાન ધરી રહ્યો છું,” કૃષ્ણ સ્મિત કરતાં કરતાં જવાબ આપે, “શરશય્યા પર સૂતેલ ભીષ્મનું. જેમના ધનુષટંકારથી ઈદ્ર પણ કંપતે હતો તે ભીષ્મ પાસે અત્યારે મારું મન ડી ગયું છે, યુધિષ્ઠિર ! (તામિ મનસા સતઃ ) પિતાની બધીયે ઈન્દ્રિોને તેમ જ મનને જેણે અત્યારે મારામાં લીન કરી દીધાં છે તે ભીષ્મ પાસે, હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy