SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આનું નામ યુધિષ્ઠિર ! કેમ જાણે વનવાસ એ પાંડવા પર ધૃતરાષ્ટ્રે કરેલ અનુગ્રહ ન હોય ! આ પછી મરેલાને અગ્નિસંસ્કાર કરવાની વાત નીકળે છે. દુર્યોધન, દ્રોણુ, કર્ણ આદિ વીરાની તા વિધિપૂર્વક અત્યેષ્ટિક્રિયા થવાની જરુ પણ દૂરદૂરના દેશમાંથી હજારેાની સંખ્યામાં આવેલા અનામી સૈનિકાના `પણુ ઉચિત અગ્નિસંસ્કાર કરવાના પ્રબંધ કરવામાં આવ્યા. यथा च अनाथवत् किंचित्, शरीरं न विनश्यति । કાઈ શરીર અગ્નિસંસ્કાર પામ્યા વગરનું રહે નહિ, રઝળે નહિ,’ એ જોવાનું કામ વિદુર, ધૌમ્ય, સ ંજય, યુયુત્સુ અને ઇન્દ્રસેનાદિ પરિચારકાને સોંપાયું. દુર્યોધન, એના ભાઈએ, શલ્ય, ભૂરિશ્રવા, જયદ્રથ, અભિમન્યુ, લક્ષણ, ધૃષ્ટકેતુ, વિરાટ, ક્રુપદ આદિ વીરાની પૃથક્ પૃથક્ ચિંતા અને હજારા અનામ સૈનિકાની સામુદાયિક ચિતા (શીન ત્યા - સહસ્રશઃ) પ્રજ્વલી ઊઠી. અને ધરતી અને આકાશ સામના ગાનથી અને સ્ત્રીના વિલાપથી ધ્રૂજી રહ્યાં. અગ્નિસ સ્કાર પછી સૌ ગગાને કાંઠે ગયાં. સ્ત્રીઓએ ત્યાં અલંકારા અને ઉત્તરીયાને ઉતારી પાતપાતાના પિતા, ભાઈ, પૌત્રા, સ્વની, પુત્રો અને પતિને રડતાં રડતાં જલાંજલિ આપી; અને સમુદ્રના ખ્યાલ આપે એવા પહેાળા પટવાળે ગંગાજીના કાંઠા તે વખતે નિરનિંદ્ અને અનુભવ બની રહ્યો. યુદ્ધમાં હણાયલા છંધાય સ્વજનાનું તર્પણુ તેમનાં સ્વજના તરફથી આમ થઈ રહ્યું હતું તે વખતે કુન્તીથી રહેવાયું નહિ. 66 ં કર્ણનું પણું તર્પણુ તમે કરજો,” પેાતાના પુત્રોને ઉદ્દેશીને તેણે કહ્યું. પાંચેય પાંડવે વિચારમાં પડી ગયા. મા આ શુ કહે છે! અને પછી બહુ જ ધીમે અને અશ્રુપૂર્ણ અવાજે કુન્તીએ ખુલાસા કર્યો: re · પૃથ્વી ઉપર સૂર્યની પેઠે જે પ્રકાશતા હતા, અને જગત જેને રાધેયના નામથી ઓળખતુ હતુ, તે કર્યું તમારા મેટા ભાઈ હતા, પાંડવેા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy