SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાની પત્નીને બરાબર ઓળખ હતો. ડીવાર મૂગી રહીને વળી પાછી એ ક્યાંક વાદવિવાદમાં ન ઊતરે, કૃષ્ણની સાથે, એ બીકે એ એક. તિસરી જ વાત કાઢે છે, અને સૌનું ધ્યાન એ તરફ ખેંચાય છે, ૨૫૧. કુન્તીનો ઘટસફેટ ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિરને પૂછે છેઃ “આ યુદ્ધમાં કુલ કેટલા માણસો માર્યા ગયા, કહી શકે છે ?” યુધિષ્ઠિર આંકડો આપે છે. * “એ બધાની શી ગતિ થઈ ?” ધૃતરાષ્ટ્ર એક બીજો સવાલ પૂછે છે. “જે લોકાએ હસતા મેએ પોતાની જાતને હેમ દીધી તે લેકે ઈન્કલેકમાં ગયા. “જેઓ હસતે મોંએ નહિ, પણ લડાઈમાં સામેલ થયા જ છીએ તે હવે લડ્યા વગર, અને મર્યા વગર છૂટકે જ નથી, એવી ભાવનાથી મર્યા, તેઓ ગાંધર્વકમાં ગયા. જે લેકે પારોઠનાં પગલાં ભરતાં, દુશ્મને પાસે પોતાના પ્રાણની ભીખ માગતાં મરાયા, તેઓ ગુહ્યકલાકમાં ગયા. જે લેકે તીણ શસ્ત્રાસ્ત્રો વડે વારંવાર વીંધાયા છતાં સામી છાતીએ લડતા જ રહ્યા અને જેમણે ક્ષત્રિયધર્મને પૂરેપૂરે શોભાવ્યું, તેઓ બ્રહ્મલોકમાં ગયા.” * આમાંથી બ્રહ્મલેક, ઇન્દ્રલોક, ગંધર્વલક, ગુહ્યકલેક એવાં નામને એક બાજુએ મૂકી દઈએ, તે ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ અને અધમ–આ ચાર વર્ગોને સૈનિકોને તાદશ ચિતાર મળી રહે છે. ધૃતરાષ્ટ્ર આ પછી એક ત્રીજે સવાલ પૂછે છે: “ક્યા જ્ઞાનબળ વડે હું આવું બધું સિદ્ધવત્ જોઈ શકે છે, યુધિષ્ઠિર ?” યુધિષ્ઠિરને જવાબ સૂચક અને માર્મિક છે. આપની આજ્ઞાથી અમે વનમાં ગયા હતા તે વખતે મહર્ષિ મશ પાસેથી મને “દિવ્યચક્ષ પ્રાપ્ત થયેલ, વડીલ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy