SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તે ગંગાસ્નાન કરીને ત્યાં આગળ પહોંચી ગયા હતા. હકીકતમાં વ્યાસ સર્વકાળમૃતાં માં સમજતા હતા. દિવ્યચક્ષુ વડે બધું જ તે જોઈ શકતા હતા. એકાગ્ર ચિત્ત વડે સૌના અંતરની વૃત્તિને તે જાણું લેતા હતા. શાપ આપવાને તૈયાર થયેલ પુત્રવધૂને તેમણે તેના પિતાના જ હદયની એક મંગળ ઊર્મિનું સ્મરણ કરાવ્યું: યુદ્ધના અઢારેય દિવસો દરમિયાન, હે ગાંધારિ, દુર્યોધન રોજ પ્રાતઃકાલે તારી પાસે આવતા હતા, અને વિજય માટે તારી આશિષ યાચતો હતો, અને દર વખતે તું એને એક જ આશિષ આપતી હતી કે થતો ધર્મસ્તતો ગય: “જે પક્ષમાં ધર્મ હશે, તે પક્ષને જય થશે.” આજે હવે તારી આ આશિષ સાચી પડી છે, અને પાંડુપુત્રોને, જેના પક્ષમાં ધર્મ પ્રમાણમાં, વધારે હતું, તેમને વિજય થયો છે. હવે પાંડવોને શાપ દેવાને વિચાર એ જાતે જ એક અધર્મ છે. એ વિચારને મૂળમાંથી ઉખેડી નાખ.” ગાન્ધારીને પ્રત્યુત્તર એના માતૃહદયની વેદનાને આબાદ પડે છે. હવે ભગવન, પાંડવોનો નાશ થાય એમ હું નથી ઇચ્છતી; પણ પુત્રશોકને લીધે મારું મન વિવળ થઈ ગયું છે. આ કુન્તીને જેમ પોતાના પુત્રો પ્યારા છે, તેમ મને પણ મારા પુત્ર પ્યારા હતા. પણ દુર્યોધનના પિતાના પાપે, તેમ જ મારા ભાઈ શકુનિના વાંકે, તેમ જ કર્ણ અને દુઃશાસનના વાંકે તેમને સૌને નાશ થઈ ગયે. એમાં આ પાંચ પાંડવોમાંથી ઈને દોષ હું નથી કાઢતી; પણ આ કૃષ્ણના દેખતાં ભીમે જે કર્મ કર્યું - દુર્યોધનને નાભિની નીચે મારવાનું તેને લઈને મને ગુસ્સો જરૂર આવ્યો છે.” આને જવાબ ભીમ આપે છે, ભીમની રીતે. જે કાઈથી નથી ડરતે, તે ગાંધારીના શાપથી અવશ્ય કરે છે. એટલે એના પ્રત્યુત્તરમાં નિયમભંગને ખુલ્લે એકરાર છે. ઉપરાંત દુર્યોધનના બળની મુક્ત કંઠે પ્રશસ્તિ કરીને ગાંધારીની થોડીક ખુશામત પણ તે કરી લે છેઃ “કર્યું તે, ધર્મ હે યા અધર્મ, ત્રાસને કારણે કર્યું છે. એમ ન કરત તે ખુદ મારા પ્રાણ પણ જોખમમાં હતા. માટે અનુમતિ ! વળી તમારે પુત્ર ધર્મયુદ્ધ વડે તે જિતાય એમ જ નહોતે. માટે મારે ધર્મયુદ્ધના નિયમોને નેવે મૂકી દેવા પડ્યા. વળી તમારા પુત્રે પણ યુધિષ્ઠિરને અધર્મ વડે જ જીત્યા હતા, એ ન ભૂલશો; તેમ જ ઘત પૂરું થયા પછી રજસ્વલા અને એકવન્ના પાંચાલીને ઉદ્દેશીને સભા સમક્ષ જે કંઈ કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy