________________
અને થોડીવાર પછી “કુતરો.” એવા ધૃતરાષ્ટ્રને કૃષ્ણ ફરી પાછા બે શબ્દો શિખામણના સંભળાવે છેઃ
' ) વેદ, શાસ્ત્રો તેમ જ પુરાણોને અભ્યાસ તમે કર્યો છે, મહારાજે; રાજ્યધર્મ પણ તમે સારી પેઠે સમજે છે અને છતાં અમારા જેવા અનેક હિતેચ્છુઓની સલાહને અવગણીને તમે તમારા દુષ્ટ પુત્રને પગલે ચાલ્યા. તમારા પોતાના દોષોને તમે જોતા નથી, અને ભીમને તમે મારવા માગે છે.”
“તમે કહો છે એમ જ છે, માધવ, ધૃતરાષ્ટ્ર કહે છે, “પણ બળવાન પુત્રસ્નહે મને બૈર્યથી ભ્રષ્ટ કર્યો. સારું થયું જે, બળવાન, સત્યવિક્રમે, અને તમારા વડે સુરક્ષિત ભીમ મારા ભુજપાશમાં ન આવ્યું. પણ હવે મારો ક્રોધ શમી ગયો છે. હવે હું પાંડવો સાથે પ્રેમથી રહીશ.”
આવા નફફટ લેકેને શું કહેવું ? એમને તો ભગવાન જ પહોંચે ! અથવા કદાચ, ભગવાનેય ન પહોંચે ! વ્યાસજી લખે છે કે આ પછી એ નઘરોળ ધૃતરાષ્ટ્ર ભીમને, ધનંજયને, નકુલને અને સહદેવને રડતાં રડતાં ભેટો.
૨૪૯. માતાનું હૃદય !
ધૃતરાષ્ટ્ર પાસે આવી રીતે ખરખરો કરીને, એના દુઃખનું તથા એના ક્રોધનું આમ શમન કરીને પાંડવો અને શ્રીકૃષ્ણ ગાંધારી તરફ વળ્યા. ?
હવે ગાન્ધારી અને ધૃતરાષ્ટ્રના સ્વભાવ વચ્ચે તે આકાશ અને પૃથ્વી જેટલું અંતર હતું; અને છતાં બે વચ્ચે એક સરખાપણું તે હતું જ, પુત્રપ્રેમ, તત્વતઃ, બન્નેમાં સરખો હતો. પુત્ર મૃત્યુને કારણે બન્નેને કારમે આઘાત લાગ્યો હતોઅને તેમાં પણ ગાંધારીને કંઈક વધારે; કારણ કે ગાંધારીના પ્રેમની પાછળ કેવળ નિખાલસ માતૃહૃદય જ હતું; ધૃતરાષ્ટ્રની પેઠે સ્વાર્થબુદ્ધિની પ્રેરણા એમાં ન હતી. - પુત્ર મૃત્યુના આઘાતે અત્યારે એને ખરેખર વિવેક-અંધ બનાવી દીધી હતી. તેમાંય પુત્રોના વધ નીપજાવનાર પાંડવોને તેણે જ્યારે પિતાની પાસે જેયા, ત્યારે તો એના ક્રોધને પાર ન રહ્યો, અને મને મન એણે એમને શાપ દેવાની ઈચ્છા કરી. .? : “પણ, વ્યાસજી લખે છે કે તેના, એટલે કે ગાંધારીના આ બવાની, બદઈરાદાની વ્યાસજીને પહેલેથી જે ગંધ આવી ગઈ હતી, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com