________________
પાસે ઊભેલ કૃષ્ણ ધૃતરાષ્ટ્રના ચહેરા પરથી તેના મનેભાવ પારખી ગયા. એટલે યુધિષ્ઠિર પછી ભીમ જે ધૃતરાષ્ટ્રને ભેટવા જતો હતો, તેવો જ એને એક બાજુએ ખસેડીને એને બદલે એની લોખંડી મૂર્તિ તેમણે આગળ કરી. - ધૃતરાષ્ટ્ર પિતાના સમગ્ર બળથી આ માયલી (લોખંડી) ભીમને ભીંસ દીધી, એટલે સુધી કે તેને પોતાને લોહીની ઊલટી થઈ ગઈ. ધૃતરાષ્ટ્રની આવી કરપીણ ભીંસને કારણે લેખંડી ભીમને કડુસલો બોલી ગયે. ધૃતરાષ્ટ્ર પણ જમીન પર પછડા. સંજયે તેને “નહિ, નહિ!” એમ બોલતાં બોલતાં અધ્ધરથી ઝીલી લીધે. સંજયના એ “નહિ! નહિ! માં કંઈક ભાવો ભર્યા હતા. સંજય પિતાના સમવયસ્ક સ્વામીની પ્રકૃતિથી પૂરેપૂરે પરિચિત હતો. “આ શું કરી રહ્યા છે ? હજુયે તમને સાન ન આવી ?” શોક, આશ્ચર્ય, ચેતવણું અનેક ભાવો તેના આ “નહિ! નહિ” શબ્દમાં ભર્યા હશે.
પણ ધૃતરાષ્ટ્ર પર એની કશી જ અસર ન થઈ. એ તે પિતાના દંભના નાટકમાં પૂરેપૂરો લીન હતું. ભીમની લેહમયી મૂર્તિ તેના આલિંગનપાશમાં ભાંગી ગઈ, એટલે ખુદ ભીમ જ મરી ગયો એમ સમજીને તેણે હવે પૃથ્વી પર પડ્યા પડ્યા, લોહીવાળા મોંએ રડારોડ કરી મૂકી, “અરેરે, હું કે દુર્ભાગી છું! ભીમ મારે હાથે માર્યો ગયે” વગેરે. * શ્રીકૃષ્ણ હવે આગળ આવ્યા. “તમારા હાથે ભીમ ભરાય છે એમ માનીને શેક ન કરે, ધૃતરાષ્ટ્ર, તમારા બાહુપાશમાં જેને છુંદો થઈ ગયો છે તે ભીમ નથી, ભીમની લેખંડી પ્રતિમા છે. યુધિષ્ઠિરને આલિંગન આપતી વખતે તમારા મુખ ઉપર જે ક્રોધ ધગધગતે હતો, તે જોઈ સમયસૂચકતા વાપરીને ભીમને મેં આઘો ખસેડી લીધો હતે, અને એને બદલે, ભીમની આયસી પ્રતિમા, જે દુર્યોધને બનાવરાવી હતી, (ભીમને મારવાની પોતાની જિંદી પ્રેકિટસ અર્થે !) તેને આગળ કરી હતી. તમારા બાહુઓમાં કેટલું બળ છે, તે હું બરાબર જાણતું હતું. પણ આમ કરવું તમને ઘટે છે. રાજન્ ? તમે હવે વૃકદરને મારી નાખશે, તે પણ તમારા પુત્રે જીવતા નહિ થાય. માટે વેરઝેરની વાતને વિસારે પાડીને પાંડ સાથે હળીમળીને રહે.” આ દરમ્યાન અનુચરે જમીન પર પછડાયેલા ધૃતરાષ્ટ્રને ઉઠાડવા અને સાફ કરવા દોડી આવે છે. (એને લોહીની ઊલટી થઈ છે, તેથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com