________________
૨૭
આવ્યું હતું તે બધું તમે જાણે જ છે. (ભીમ હવે ધીમે ધીમે ગરમ થતો જાય છે) દુર્યોધને તે પ્રસંગે દ્રૌપદીને જ્યારે પિતાની જાંગ બતાવી, તે પ્રસંગે જ હું એને મારી નાખત, પણ તે વખતે આ ધર્મરાજની આમન્યા રાખીને અમે ખામોશ રહ્યા, કારણ કે અમે વચને બંધાયેલા હતા. આ પછી તે પૂરાં તેર વરસ સુધી તમારા એ પુત્રે અમને જપીને ક્યાંય બેસવા દીધા નહિ, અને વૈરને અગ્નિ પ્રજવલિત કર્યા જ કર્યો આજે હવે એ બધું પૂરું થયું, મા; હવે અમારા મનમાં ક્રોધને. છાંટા પણ નથી.”
ભીમના આટલા લાંબા સંભાષણમાંથી ગાંધારી કેવળ દુર્યોધનની પ્રશંસાના શબ્દો જ પકડી રાખે છે.
“ન તબૈg વધતા ભીમને કહે છે, “યT પ્રશસિ મે સુરમ્ – તું મારા પુત્રની પ્રશંસા કરે છે, એ એને વધ નથી.”
દુઃશાસનના રુધિરપાનને પણ ભીમ આ જ સચોટ જવાબ આપે છેઃ
“મનુષ્યનું લેહીં કદી પિવાય જ નહિ, એ હું ક્યાં નથી જાણતો, મા! તેમાંય એ મનુષ્ય જ્યારે સ્વજન હોય ત્યારે તે પૂછવું જ શું? તેમાંય વળી, ભાઈ તો પિતાનું જ બીજુ રૂપ છે. એટલે દુઃશાસનનું ફવિર મેં પીધું જ નથી. પ્રતિજ્ઞાપાલનને અર્થ ફક્ત મેં તે મોંમાં મૂકયું એટલું જ; પણ એટલી ખાતરી રાખજો, મા, કે મારા દાંત અને હોઠને ઓળંગીને અંદર તે એ ગયું જ નથી! પણ ખરું પૂછે, મા, તે આ બધામાં તમે પણ કંઈ ઓછાં દોષપાત્ર નથી. તમે પુત્રોને પહેલેથી જ આવા અસતપંથે જતાં રોક્યા હોત, તે યુદ્ધ થાત જ નહિ!”
ભીમની આ દલીલ પાસે ગાંધારી નિરુત્તર બની જાય છે; અને છતાં “આંધળાની લાકડી જેવા એકાદ પુત્રને પણ તે અવરિષ્ટ રહેવા દીધો હત, તે સારું થાત!” એટલું કહ્યા વિના તે તે રહી જ નથી શકતી.
આ પછી ગાંધારી યુધિષ્ઠિર ભણું વળે છે.
ક્રોધ અને દુઃખથી ક્ષુબ્ધ એવી એને જોઈને યુધિષ્ઠિર ધ્રુજી ઊઠે છે. હાથ જોડીને તે તેની સામે આવે છે; અને વ સ રાજા?– “પેલે રાજા
ક્યાં છે?” એવી એની ભયાનક હાકલના પ્રત્યુત્તરમાં ઢીલો અને ગળગળો થઈ જઈને અત્યંત મધુરતાથી તેને ટાઢી પાડે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com