________________
. પણ “મહાદેવ” કે શિવ આવા દુષ્ટોને શરણુ શા માટે આપે છે, એ પ્રશ્નને જવાબ નથી! જે થાય છે તે “અંતે તે” આ સૃષ્ટિને માટે “શિવંકર ” જ નીવડવાનું છે, એટલી શ્રદ્ધા જ ફક્ત આવા ખુલાસાઓની પાછળ જોવા મળે છે, જ્યારે એ ખુલાસા આપનાર કૃષ્ણ કે ગાંધી જેવા હોય ત્યારે !
પણ આપણે હવે આપણે કથા તરફ વળીએ. જેનું તેજ હણાઈ ગયું છે (હતિષ:), એવા પાંડવે મણિ લઈને કુરુક્ષેત્ર પર પિતાના હવે સ્મશાનમાં પલટાઈ ગયેલા શિબિર ભણી આવ્યા. અને રથમાંથી ઊતરીને અંદર દાખલ થયા ત્યારે દ્રૌપદીને તેમણે આ સ્વરે રડતી જોઈ.
નિરાનન્દ” અને “દુઃખશેકાન્વિત” એવી એ નારીને વીંટળાઈ તેઓ કૃષ્ણની સાથે ઊભા રહ્યા.
પછી યુધિષ્ઠિરની આજ્ઞાથી ભીમે પેલે મણિ દ્રૌપદીની સામે ધર્યો.
તારા પુત્રોને ઘાત કરનારને અમે હરાવ્યો છે,” મણિ આપતાં. તેણે કહ્યું, “અને એને ઉચિત દંડ પણ આપે છે. તેના પ્રતીકરૂપ આ મણિ. હવે તું ક્ષત્રિયધર્મને અનુસરીને તારે પુત્રશેક તજી દે. આ કૃષ્ણ સંધિ કરવાનું એક છેલ્લે પ્રયત્ન કરવા માટે જ્યારે હસ્તિનાપુર જઈ રહ્યા હતા, ત્યારે તે શું કહ્યું હતું, તે યાદ કર.
તેં કહ્યું હતું: “હે ગોવિંદ, આ સંધિની વાત હું સાંભળું છું ત્યારે મને એમ જ થાય છે કે મારે પતિઓ નથી, પુત્રો નથી, ભાઈઓ નથી, – અને તું પણ નથી.”
“તે વખતે ક્ષત્રિયધર્મને અનુસરીને જે તીવ્ર વા તે ઉચ્ચાર્યા હતાં, હે મધુઘાતિની, તે બધાં અત્યારે તને યાદ આવવાં ઘટે છે!
આપણી અને આપણું રાજ્યની વચ્ચે ઊભેલો દુર્યોધન નાશ પામ્યો છે, દુઃશાસનનું રુધિર પીવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. આપણું વેર આપણે પૂરેપૂરું વસૂલ કરી લીધું છે. છેલ્લે અશ્વત્થામાને પણ હરાવી, પકડી, એના બ્રાહ્મણ ળિયા સામે જોઈને, તથા એ આપણું ગુરુને પુત્ર છે, એમ સમજીને એને જીવતો જવા દીધો છે. પણ તે પણ એના યશ શરીરને સંપૂર્ણ નામશેષ કરીને, એના મણિને એની પાસેથી છીનવી લઈને, તેમ જ એને આયુધવિહેણ બનાવીને.” ." .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com