SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઘટના એથી થઈ ન થઈ એછી જ થવાની હતી! દુષ્ટને એમની દુષ્ટતાને બદલે મળે છે, એવું આશ્વાસન લેનારું જગત એક કઠોર સત્ય વિસરી જાય છે અને તે એ કે દુષ્ટએ આચરેલી દુષ્ટતાને પરિણામે ઉત્પન્ન થયેલ દુઃખ, એમને મળેલ દંડની સાથે નષ્ટ નથી થતું. કેાઈની ભૂલ, અથવા કેઈના પાપની સજા હજારો નિર્દોષને ભોગવવી પડે છે. એવી ભૂલો અને એવાં પાપે જે ભૌતિક અને માનસિક તો ઊભાં કરે છે, તે નિર્દોષ – સદષના કશા જ ભેદભાવ વગર સૌને સહન કરવાં પડે છે! આ વ્યવસ્થા. કઈ જાતની ? આમ કેમ બનતું હશે ? પાંડવોને આ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય છે. જગતમાં અશ્વત્થામા કેમ ફાવી જાય છે – ભલે થોડીકવારને માટે પણ? આ પ્રશ્નનો જવાબ, સંપૂર્ણ સંતોષકારક જવાબ એક જ હોઈ શકે ? “અમે જાણતા નથી. કાઈ જ જાણતું નથી.” પણ “જાણતા નથી” એનો અર્થ એ નથી કે સૃષ્ટિના મૂળમાં જે સચિદાનંદ તત્વ છે, તે સત્યને અમે ઈનકાર કરીએ છીએ. ના; જરાય નહિ. અમે તે ફક્ત એટલું જ કહેવા માગીએ છીએ કે એ સચ્ચિદાનંદની સૃષ્ટિની, આદિ-અનાદિકારણ-જેજના હજુ અમારાથી ગૂઢ છે. મહાભારત-અન્તર્ગત ગીતાએ આ સત્યને નીચેના એક લેકમાં અંકિત કર્યું છે: अधिष्ठानं तथा कर्ता करणं च पृथविधम् । विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ પ્રત્યેક ઘટનાની પાછળનાં ચાર કારણો આપણને સ્પષ્ટ છે. પણ એક પાંચમું પણ કારણ છે, જે આપણે બધીય ગણતરીઓને ખોટી પાડે છે, અને તે છે, સૈવે વૈવાત્ર ક્વિમમ્ | આ પ્રસંગે કૃષ્ણ આ જ વાતને એક બીજી રીતે રજૂ કરે છે. અશ્વત્થામા આવું “શુદ્ર' પણ ઘર કૃત્ય કરવામાં શી રીતે ફાવ્યો તેના પ્રત્યુત્તરમાં કૃષ્ણ શિવની તેણે કરેલી આરાધનાને નિર્દેશ કરે છે. नूनं स देवदेवानाम् ईश्वरेश्वरमव्ययम् । जगाम शरणं द्रौणिः एफस्तेनावधीद् बहून् ॥ તમામ દેવોને દેવ, ઈશ્વરેશ્વર, એક મહાદેવ છે, શિવ છે, શંકર છે; એને શરણે દ્રોણપુત્ર ગયે અને અણધારેલી શક્તિ એને સાંપડી – અથવા અણધારેલું કામ એને હાથે થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy