________________
૧૯૪
તેમણે ખૂબ કેાશિશ કરી. પણ યુધિષ્ઠિર અને તેના ભાઈએ અને દ્રૌપદી પેાતાના નિશ્ચયને વળગી રહ્યાં. આભૂષણેાને અળગાં કરીને વલ્કલા તેમણે સજ્યાં. અંતિમ ઇષ્ટિ કરીને પાતપેાતાના ગાસ્થ્ય અગ્નિનું પણ તેમણે વિસર્જન કર્યું... પૂર્વે ષિત બનીને જેવી રીતે આ છયે જણ વન ભણી ચાલી નીકળ્યાં હતાં, તેવી જ રીતે એમને આમ ચાલી નીકળતાં જોઈને પ્રવુઃ સર્વઃ બ્રિયઃ ।
અહીં વ્રતનિત' શબ્દને મૂકીને વ્યાસજીએ એવું કવિત્વમય સૂચન કર્યું' છે કે તે વખતે તે વ્રતમાં હારીને જતા હતા, જ્યારે આજે—તે પછી લગભગ છત્રીશ વરસે—તેએ દ્યૂત્તજ્ઞતા થઈને નહિ, પણ ાન્નિત થઈને જાય છે! સૂચનના સૂચનને જરા આગળ ખે'ચીએ તેા એમ કહેવાય કે અત્યારે તે વ્રતમાં હારીને નહિ, પણ ાનિત બનીને, જ્ગ ઉપર વિજય મેળવીને જાય છે! હા તેમને આક્રમે તેની વાટ જોઈને ઘેર ન બેસી રહેતાં ન્હાને સામે ચાલીને ભેટવા જાય છે ! વળી જીવનના વ્રતમાં પણ આખરે તા તેમની જીત જ થઈ છે ને !
(
પણ તે છ જ નથી. એક સાતમા પણ તેમની સાથે છે. હસ્તિનાપુરથી આ છેવટની વખતે વિદાય થતી વખતે એ છની સાથે શ્વા ધૈવ સપ્તમઃ—સાતમા એક કૂતરા પણ છે. નગરજના તેમ જ રૃપ અને યુયુત્સુ આદિ અંતઃપુરવાસીએ દૂર સુધી એમને વળાવવા ગયા; અને યુધિષ્ઠિરે તેમને આગ્રહ કરીને પાછા વાળ્યા ત્યારે જ તેએ પાછા વળ્યા. અર્જુનની એક પત્ની ઉલૂપીએ ગંગામાં પ્રવેશ કર્યો ( તેનું પિયર ગંગામાં જ હતું–એ અર્થમાં પણ હાય ! ) અને ચિત્રાંગદા મણિપુરમાં ગઈ. ખીજી માતાએ પરિક્ષિતની આસપાસ વીંટળાઈ વળીને હસ્તિનાપુર તરફ પાછી ફરી.
૩૦૫. અંતિમ ભારતદન
પાંડવાના આ છેલ્લા વનવાસ છે, અથવા કહા કે છેલ્લું. વનભ્રમણ અથવા ભારતદન છે. મૂળ તે! તેએ જન્મ્યા છે જ વનમાં—હિમાચલની ગેાદમાં આવેલા વનમાં. પછી લાક્ષાગૃહથી પાંચાલ સુધીનું પહેલું વનભ્રમણુ. તે પછી દ્યૂતષિત બની બાર વરસના વનવાસ અને તેરમા વરસના અજ્ઞાતવાસ સ્વીકારી હસ્તિનાપુરથી વલ્કલા ધારણ કરીને નીકળ્યા તે તેમનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com