________________
૧૯૫
બીજુ વનભ્રમણ, અને ત્રીજું અને છેલ્લે આ. અર્જુનને માટે તે ચોથું. બ્રાહ્મણની ગાયોના ધણને છોડાવવા માટે યુધિષ્ઠિરના અંતઃપુરમાં પડેલ શસ્ત્રાસ્ત્રો લેવા પ્રવેશેલ, તેના નારદનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત તરીકેનું એક વધારાનું વનભ્રમણ તેણે માણેલું છે.
પહેલા વનવાસમાં માતા કુન્તી સાથે હતાં. બીજા અને આ ત્રીજામાં દ્રૌપદી સાથે છે. ચાલવાને ક્રમ આ પ્રમાણે છેઃ આગળ યુધિષ્ઠિર ચાલે છે, પછી ભીમ, પછી અર્જુન, પછી નકુલ અને સહદેવ, પછી વહી શ્યામા પ ક્ષના વોષિતાં શ્રેષ્ઠ દ્રૌપદી અને છેલ્લે –કૂતરો.
( સંધને મોખરે ધર્મ છે. સંધને છેવાડે પણ ધર્મ જ છે!)
ઉપવાસ આદિ તે આચરતાં આચરતાં પૂર્વ દિશા ભણું ચાલ્યાં જાય છે. ત્યાગધર્મને વરેલા તે મહાત્માઓ યોગયુક્ત છે, સમત્વયુક્ત છે. અનેક દેશ', સરિતાઓ અને સાગરને પાર કરતાં કરતાં “લૌહિત્ય સલિલાર્ણવ” પાસે (red sea) પાસે આવી પહોંચ્યાં. દેખીતી જ વાત છે કે અત્યારે “રેડ સી”ને નામે પ્રસિદ્ધ એવા કેઈ સમુદ્રની આ વાત નથી. રતાશપડતાં પાણીને કેઈ સાગર હોવો જોઈએ – એ જમાનામાં સુપ્રસિદ્ધ.) ત્યાં આગળ પણ અર્જુને પિતાનાં દિવ્ય ગાંડિવનું અને બે અક્ષમ્ય ભાથાંનું વિસર્જન ન કર્યું. બીજા પાંડવોએ તે પિતપિતાનાં શસ્ત્રાસ્ત્રોનું વિસર્જન ક્યારનુંયે કર્યું હતું, એવું સૂચન છે. અર્જુનને પોતાનાં આ દિવ્ય રત્નસમાં આયુધોને કંઈક વિશેષ લાભ હત, વળગાડ હતો, આસક્તિ હતી.
એટલે અગ્નિ તેની અને તેના માર્ગની વચ્ચે એક ડુંગર જેવો બનીને (રીસ્ટમિવ મતઃ) ઊભા રહ્યા. (ખાંડવદાહ વખતે આ જ અગ્નિ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવેલે.)
હું અગ્નિ છું.” પાંડ પોતાનું કુતૂહલ વ્યક્ત કરે તે પહેલાં જ તેણે પોતાની ઓળખ આપીને આવવાનું પ્રયોજન કહ્યું, “અર્જુન અને નારાયણને નિમિત્ત બનાવીને ખાંડવને મેં બાળ્યું હતું. એ કાર્યને માટે સુદર્શન ચક્ર અને ગાંડિવ મેં જ આણું આપ્યાં હતાં, વરુણ કનેથી. હવે શ્રીકૃષ્ણ ગયા, તેની સાથે સુદર્શન પણ ગયું–જયાં હતું ત્યાં. હવે આ ગાંડિવને પણ એવી જ રીતે વરુણને સુપરત કરી દો. હવે તમારે એને કશે જ ખપ નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com