SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ અર્જુને ગાંડીવ સજ્જ કર્યું, પણ (વ્યાસજી લખે છે) છું - મહામહેનતે. યુદ્ધકળા જ જાણે અર્જુન અત્યારે ભૂલી ગયું હતું. પોતાની આ વિકૃતિ જોઈને અર્જુને મનોમન લાચારી અનુભવી. દ્વારકામાંથી સ્ત્રી–બાળક–વૃદ્ધોની રક્ષા અથે સાથે આવેલા વૃષ્ણીઓ પણ કંઈ ન કરી શક્યા. રક્ષકે થોડા અને સ્ત્રીઓ ઘણું એવી સ્થિતિ હતી..અને.... (આશ્ચર્યની વાત તે એ છે કે, કેટલીક સ્ત્રીઓ તે પિતાની મેળે જ દસ્તુઓ સાથે ચાલી ગઈ. (ામીચા પ્રવત્રy: !) અર્જુને ઘણાય દસ્તુઓને પિતાનાં બાણ વડે વીંધી નાખ્યા, પણ આખરે બાણ પણ ખૂટી પડ્યાં. આ જોઈને અજુન ધનુષ્યને શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા લાગે..દરમ્યાન પાર્થ પ્રેક્ષતાઃ “પાર્થની નજર સામે જ” વૃષ્ણી અને અલ્પક કુલની સ્ત્રીઓને સ્વેચ્છા ઉપાડી ગયા અને અર્જુન દેવની ગતિને વિમાસતો વિમાતા પિતાની અસહાયતાને પોતે જોઈ રહ્યો. પછી કુરુક્ષેત્રની પાસે આવેલા માતિ કાવત નામના નગરમાં તેમ જ ઇન્દ્રપ્રસ્થમાં બાકીની સ્ત્રીઓને તેમ જ વૃદ્ધો તથા બાળકને તેણે વસાવ્યાં અને વજને તેમના રાજવી તરીકે સ્થા. દરમ્યાન અકૂરની પત્ની, અર્જુને તેમને ખૂબ વાર્યા છતાં, તપશ્ચર્યા અર્થે વનમાં ચાલી ગઈ હતી; અને રુકિમણું, ગાંધારી, શવ્યા, હૈમવતી, જાબવતી આદિ સ્ત્રીઓએ અગ્નિપ્રવેશ કર્યો હતો. ૩૦૩. વ્યાસના આશ્રમમાં ગયા પ્રકરણમાં વર્ણવેલી ઘટનાઓની સમાપ્તિ પછી અત્યંત વિષાદગ્રસ્ત બનેલ અર્જુન મહર્ષિ વ્યાસને આશ્રમમાં આવ્યો. આશ્રમમાં પ્રવેશ કરતાં જ અર્જુને મુનિને એકાંતમાં બેઠેલા જોયા. હું અર્જુન તેમને વંદન કરીને અને પોતાની ઓળખાણ આપી. ભલે આવ્યો, બાપ!” કહીને મુનિએ તેને બેસવાની ઇશારત કરી. વ્યાસ તે અર્જુનને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા; પણ અર્જુન બેબાકળા જે, ફરી ફરી નિસાસા નાખત, અને સંસારથી થાકી ગયેલા જે લાગતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy