SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ “કંઈ અજુગતું કામ તે તારે હાથે નથી થયું ને, બેટા ?” વ્યાસે તેને પૂછ્યું: “કેઈ બ્રાહ્મણની હત્યા તે તારા હાથે નથી થઈ ને ? કે પછી કેાઈ લડાઈમાં તું પરાજિત થયે છે ? આવો ભાંગી પડે તો તને કદી પણ નથી જે. છે શું ?” કૃષ્ણ આ ભૂમિને તજીને ચાલ્યા ગયા !” અર્જુને પોતાના વિવાદનું મૂળ કારણ સમજાવતાં કહ્યું, “અને પાંચ લાખ યાદ પારસ્પરિક સંહારમાં કપાઈ મૂઆ, વડીલ, એનું દુઃખ વિસરવા માગું છું તોય વીસરાતું નથી. આ બધું મને તે સાગરના શેષણ જેવું, અથવા પર્વતના ચલન જેવું અથવા આકાશ તૂટી પડ્યા જેવું લાગે છે...... માન્યામાં જ નથી આવતું. न चेह स्थातुमिच्छामि __लोके कृष्णविनाकृतः કૃષ્ણ વગરને થઈ ગયેલો હું, આ ધરતી પર રહેવા જ નથી માગતો.” આ પછી થોડોક સમય શાંત રહીને વળી પાછે તે બોલ્યો : “માત્ર આટલું જ નથી, વડીલ, એથી પણ વધુ દુઃખપ્રદ એક બીજી ઘટના બની છે. યાદવસ્ત્રીઓને લઈને હું ઇન્દ્રપ્રસ્થ આવતા હતા ત્યાં રસ્તામાં પંચનંદપ્રદેશમાં વસતા આભીરે યુદ્ધમાં મારે પરાજય કરીને સેંકડો સ્ત્રીઓને ઉપાડી ગયા. મેં ધનુષ્ય ઉઠાવ્યું, તે તેમાં બાણનું સંધાન જ ન થાય; મારી ભુજાઓની તાકાત પણ જાણે, ઓસરી ગઈ; શસ્ત્રાસ્ત્ર બધાં વીસરાઈ ગયાં; અને અધૂરામાં પૂરું, દર વખતે જે એક શંખચક્રગદાધર, ચતુર્ભ જ, પીતામ્બર, કમલલોચન અને અત્યંત તેજસ્વી પુરુષને હું મારા રથની આગળ આગળ, મારા શત્રુઓને બાળ બાળ ચાલતો જેતે હતું તે પણ આ વખતે ક્યાંય દેખાય નહિ! આ બધું શું હશે, વડીલ? આ પરિવર્તનનું રહસ્ય સમજાતું નથી.” વ્યાસજી અર્જુનને જે જવાબ આપે છે તે અનેક દષ્ટિએ નેંધપાત્ર છે. શ્રીકૃષ્ણએ વિષ્ણુના અવતાર હતા, અને પૃથ્વીને ભાર ઉતારવા માટે જન્મ્યા હતા, એવી વ્યાસજીની માન્યતા અહીં પ્રગટ થાય છે? “એમણે ધાર્યું હોત તે ઋષિઓના અને ગાન્ધારીના શાપને પણ એ મિથ્યા કરી શકત; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy