SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આખરે તે શરીરે! તેને જડવાં, અને એમની સુયાગ અત્યેષ્ટિ એણે પતાવી. સાતમે દિવસે રથમાં આરૂઢ થઇને તેણે દ્વારકા છેડયું. વૃષ્ણીવીરાની વિધવા સ્ત્રીએ બળદ, ગધેડા, ઊંટોડેલા રથામાં રુદન કરતી કરતી તેની પાછળ ચાલી. અન્ધક અને વૃષ્ણીકુળાના નાકરચાકરે। કાઈ પગપાળા, કેાઈ રથમાં તેમ જ નગરવાસીઓ તથા ગ્રામવાસીઓ, વૃદ્ધો અને બાળા તેમ જ આ સ્ત્રીઓની રક્ષા અર્થે, પાર્થના આદેશથી તેમની આજુબાજુ ગાઠવાઈને ચાલ્યા. દ્વારકાના ત્યાગ કરીને, ઇન્દ્રપ્રસ્થ તરફ જતઃ એ (નિર્વાસિત = શરણાર્થી^) સંધમાં બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા અને શૂદ્રો ચારે વર્ણના મહાધનાઃ ' લેટ્કા હતા. વજ્રને તેમ જ શ્રીકૃષ્ણના અંતઃપુરમાં વસતી સેાળ હજાર સતીએને આગળ કરીને સૌ ચાલતા હતા. – ' , વૃષ્ણીએની આ સાગરથી વિશાળ વણજાર પાર્થની પાછળ પાછળ ચાલતી જતી હતી. જ્યારે બધા જ બહાર નીકળી ગયા, ત્યારે સાગર ‘રત્નસંપૂર્ણ ’ દ્વારકા પર ફરી વળ્યા. જે જે ભાગ અર્જુન ખાર્લી કરતા જાય તે તે ભાગ પર સાગર ફરી વળે! આ અદ્ભુત ઘટના જોતા દ્વારકાવાસી આગળ વધતાં માજાએથી પોતાની જાતને બચાવવા, અર્જુનની પાછળ પાછળ પોતાના પ્રારબ્ધને દાષ દેતા દેતા, પ્રતિપળે વધતા જતા વેગથી દાડતા હતા. પછી અર્જુન રમ્ય પર્વતા અને સ્થળાએ વિશ્રાંતિ અર્થે પડાવ નાખતા પહેાંચ્યા અને ત્યાં તેણે મુકામ કર્યો. નદીઓને પાર કરતા અને યોગ્ય નાખતા પોંચના પ્રદેશમાં આવી < ત્યાં આગળ · દસ્યુએ 'ને પતિ વગરની થઈ ગયેલી આટલી બધી યાદવ સ્ત્રીઓને એકલા અર્જુનના રક્ષણ નીચે જોઈને ‘લાભ’ લાગ્યા. તેઓ સ્ત્રીઓના એ સમુદાય પર લાકડીએ લઈને તૂટી પડ્યા. અર્જુન વચ્ચે પડયો. “વતા રહેવા માગતા હે, તે આ પાપકાથી અળગા રહેા ! ” એમ તેણે ધમકી આપી. "" પણ દસ્યુએ અને આભીરાને આજે અર્જુનની પણ ખીક નહેાતી લાગતી. સ્ત્રીઓને હરી જવા માટેનું પોતાનું આક્રમણ તેમણે ચાલુ જ રાખ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy