________________
૧૮૩ અન્ધકને ઈન્દ્રપ્રસ્થમાં લઈ જવા માટે હું આવ્યો છું; કારણ કે હવે થોડા જ વખતમાં આ દ્વારકાને સમુદ્ર ડુબાડી દેશે. માટે વાહને તૈયાર કરાવો અને તેમની સાથે જે કંઈ દ્રવ્ય લઈ જવાનું હોય તે પણ તૈયાર રખાવ. ઈન્દ્રપ્રસ્થની ગાદી પર હું આ વાને બેસાડીશ.
આજથી બરાબર સાતમે દિવસે, સાતમા દિવસના પ્રભાતે આપણે સ અહીંથી પ્રયાણ કરીશું; માટે નીમવત, મા વિરમ્ |
તે રાત્રિ અને કૃષ્ણના સદનમાં ગાળી. કેવાં કેવાં સંસ્મરણેની વચ્ચે એની એ રાત વીતી હશે! (કેવા યશસ્વી જીવનનો કે કરુણ અંજામ!).
સવાર પડી તેની સાથે જ વસુદેવે દેહ છોડ્યો અને વસુદેવનું સદન, અલંકાર ઉતારેલી, વીખરાયેલા વાળવાળી, હાથ વડે છાત ફૂટતી સ્ત્રીઓના આક્રંદથી કંપી ઊઠયું. દેવકી, ભદ્રા, રહિણું અને મદિરા-વસુદેવની ચાર પત્નીઓ તેમની સાથે સતી થવા તૈયાર થઈ. વડીલના પાંચભૌતિક દેહને પાલખીમાં પધરાવીને દ્વારકાના પાદરમાં આર્યો. તમામ દ્વારકાવાસીઓ તે પાલખીની પાછળ પાછળ ચાલ્યા. તેમનું આશ્વમેઘિક છત્ર અને તેમને ગાઈ થ્ય અગ્નિઓ અને તેમના યાજકે તેમની પાલખીની આગળ ચાલતા હતા. હજારે સ્ત્રીઓ એ સ્મશાનયાત્રામાં સામેલ થઈ હતી.
દ્વારકાના પાદરમાં વસુદેવનું એક પ્રિય સ્થળ હતું. એમની ચંદન– ચિતા ત્યાં આગળ રચવામાં આવી; અને અસંખ્ય સ્ત્રીપુરુષના વિલાપ અને સામગાન અને જ્વલંત અગ્નિના સુસવાટાની વચ્ચે તેમનું પાંચભૌતિક શરીર ભસ્માવશેષ થયું. વજીની આગેવાની નીચે વૃષ્ણીઓ તથા અન્ધકાએ અને સ્ત્રીઓએ તેમને ઉદકાંજલિ આપી.
આ રીતે વસુદેવને અંત્યેષ્ટિસંસ્કાર પતાવીને અર્જુન જ્યાં આગળ યાદવને પારસ્પરિક સંહાર થયો હતો ત્યાં ગયે. અનેક સ્વજનોનાં શબ જોઈને તેનું હૈયું અત્યંત દુઃખથી વિવલ થઈ ઊઠયું. પછી તેમની પણ ઉચિત અંત્યેષ્ટિક્રિયા તેણે કરાવી.
પછી તે કૃષ્ણ અને બલદેવનાં મૃત શરીરની તલાશમાં ઊપડ્યો. અહીં વ્યાસજીએ અવિષ્ય શબ્દ મૂકીને શાક અને કારુણ્યની અવધિ જ કરી છે! કૃષ્ણ જે યુગપુરુષ કયા સ્થળે પંચત્વને પામે તે પણ શેધવું પડે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com