SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ ૩૦૧. “અર્જુનમાં અને મારામાં કશું જ ભેદ નથી!” આ વસુદેવે પણ કેટકેટલી દુનિયાઓ દીઠી છે! લગ્ન, કારાવાસ, સંતાનની હત્યા, જરાસંધ અને શિશુપાલનાં આક્રમણ, કાલયવન.. અને છેલ્લે મથુરાત્યાગ... અને હવે તે દ્વારકામાં સ્થિર થયાને પણ બે પેઢીઓ જેટલો સમય વિતી ગયું હતું. પણ આ સ્થિરતા પણ કેઈ બ્રામક વસ્તુ છે. તેમને થતું હતું ! સ્થિર થયા જેવું લાગે, તેની સાથે જ માણસ અસ્થિર થઈ જાય! વસુદેવના ઓરડામાં પ્રવેશ કરતાં જ અર્જુને એમને પથારી પર લેટેલા જોયા. પુત્રશોકથી તે સંતપ્ત હતા. પણ અર્જુન તે તેમના કરતાં પણ વધારે “આત' હતો ! વસુદેવની પેઠે તેનું પણ “સર્વસ્વ” છીનવાઈ ગયું હતું. આંખમાંથી છલકાતી અશ્રુધારા સાથે તે પર્યક પર સૂતેલ વસુદેવને પગે પડ્યો. વસુદેવે એનું માથું સુંઘવાની કેશિશ કરી, પણ વૃદ્ધાવસ્થા તેમ જ માંદગીને કારણે એટલી બધી નબળાઈ તેમનામાં આવી ગઈ હતી, કે પિતાનું માથું પણ એ ઊંચું ન કરી શક્યા અને સૂતાં સૂતાં જ પિતાની બે ભુજાઓ વડે અર્જુનને તેમણે આલિંગન આપ્યું અને પછી કૃષ્ણ, બળદેવને તેમ જ ભાઈઓ, પુત્ર, પૌત્રો, સ્વજને અને મિત્રોને સંભારી સંભારીને તે રડવા લાગ્યા. મને તે મોત પણ નથી આવતું, અર્જુન!” એ કણસવા માંડ્યા, “જેમણે સેંકડે રાજવીઓ તેમ જ દૈત્ય અને દાનવો પર વિજય મેળવ્યો તેઓ બધા ચાલ્યા ગયા, અને હું જીવું છું ! અને વિચિત્રતા તો એ છે, અર્જુન, વિધિની, કે કૃષ્ણને સૌથી વધુ વહાલા એવા પ્રદ્યુમ્ન અને સાત્યકિ જ કૃષ્ણના યાદવકુલના સર્વનાશનું કારણ બન્યા! પણ એમાં એમને પણ શે દેષ કાઢે! ખરું કારણ તે શાપ જ છે! એ શાપને કારણે જ મારે એ પુત્ર, જે આ સર્વનાશ ટાળવા સમર્થ હતા, તે નિષ્ક્રિય રહ્યો ! ગાંધારીના બેલને મિથ્યા કરવાની તેની ઈચ્છા જ નહોતી! અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર વડે મૃત જન્મેલ તારા પૌત્રને સૌની આંખેની સામે જીવતે કરનારને માટે શું અશક્ય હતું! પણ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy