________________
- ૧૭૮
તેવા જ આજે યાદવાના વિનાશ જોયા! હવે હુ ારકામાં નહિ રહી શકું! વનમાં જઈ બલદેવની સાથે તપશ્ચરણ કરીશ.”
પિતાને છેવટનાં વંદન કરીને કૃષ્ણે ઝડપભેર દ્વારકામાંથી નીકળી ગયા. થોડા વખત પછી દ્વારકામાંથી સ્ત્રી તથા બાળકાનું અત્યંત કરુણુ આન્ધ્ર સંભળાયું.
‘હવે તા હસ્તિનાપુરથી અર્જુન આવશે, ત્યારે જ આ લકા દુઃખમુક્ત થશે,” એવું સમાધાન મનેામન મેળવીને કૃષ્ણે વનની વાટ પકડી. અને થાડીક જ વારમાં એક અદ્ભુત દૃશ્ય તેમણે જોયું.
યોગયુક્ત બલરામના મુખમાંથી એક શ્વેત નાગ ધીરે ધીરે બહાર આવતા હતા.
બહાર આવીને તે સમુદ્ર તરફ પ્રયાણ કરતા હતા. સમુદ્રના જલમાં અદશ્ય થતા હતા. ( બલદેવ શેષનાગને અવતાર હતા, લક્ષ્મણની પેઠે, એવી લેાકવાયકાને વ્યાસજીએ અહી પાતાના કાવ્યમાં ગૂંથી લીધી છે, જમાનાના મિજાજ પ્રમાણે, )
હવે કૃષ્ણે એકલા જ રહ્યા.
નિર્જન એવા એ વનમાં થાડેાક વખત તો એમણે ચંક્રમણ કર્યું.
પછી જમીન પર બેસી ગયા.
ગાંધારીના શાપ તેમને સાંભરી આવ્યા.
દુર્વાસાનાં વચના પણ તેમને યાદ આવ્યાં.
જીવનજીલા સકેલી લેવાના સમય પાકી ગયા છે એમ તેમને લાગ્યું. ચિત્તવૃત્તિઓના નિરાધ કરીને તે યોગસ્થ થયા.
પણ દેહના વિસ`ન માટે કંઈક નિમિત્ત તેા જોઈએને?
જરા નામના પારધીએ તેમને એ નિમિત્ત પૂરું પાડયું.
જરા શિકારની શોધમાં વનમાં ફરતા હતા. યોગસ્થ કૃષ્ણને તેણે પશુ માન્યા.
તેમના પાતલને લક્ષ્ય બનાવીને તેણે બાણુ માર્યુ.
ખાણુ તેમના પગની આરપાર નીકળી ગયું.
પછી જરા પાતે માનેલા એ પશુને પકડવા માટે નજીક આવ્યા... અને પશુને બદલે તેણે ‘ પીતામ્બર ’ને દીઠા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com