SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ . હવે ઘણાખરાને નાશ થઈ ગયો છે”, ક્રોધથી મુસલ વીંઝી રહેલ કૃષ્ણને બલ્યુ અને દારુકે કહ્યું: “હવે આપ બલદેવ જ્યાં છે ત્યાં પધારે. આપણે બધાય ત્યાં જઈએ.” અને કૃષ્ણ બલદેવની દિશામાં વધ્યા. દારુક અને બલ્ક તેમની પાછળ પાછળ ચાલ્યા. ૨૯. કૃષ્ણના જીવનની છેલ્લી ઘડી ! બલદેવ એકાન્તમાં એક વૃક્ષ નીચે વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતા. તેમને જોતાંવેંત કૃષ્ણ દાસકને આજ્ઞા કરી: તું હસ્તિનાપુર જા; અને પાંડવોને યાદના આ પારસ્પરિક સંહારના સમાચાર પહોંચાડ; અને અર્જુનને દ્વારકા તેડી લાવ.” કૃષ્ણની આજ્ઞાને માથે ચઢાવીને દારુક હસ્તિનાપુર જવા રવાના થયા. સૂનમૂન જે તે લાગતું હતું. પછી કૃષ્ણ બલ્યુ તરફ વળ્યા. તું દ્વારકા જા;” તેમણે કહ્યું, “યાદવસ્ત્રીઓ હવે એકલી છે, અરક્ષિત છે. આ લાગ જોઈને દસ્તુઓ એમના પર આક્રમણ ન કરે તેનું ધ્યાન રાખ.” પણ બભુ કૃષ્ણની આજ્ઞાનું પાલન કરી શકે તે પહેલાં જ એના પર ક્યાંકથી કઈ મુસલને પ્રહાર થયો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. આ જોઈને કૃષ્ણ બલદેવને કહ્યું : “તમે હવે અહીં જ રહેજે. હું દ્વારકામાં જઈને સ્ત્રીઓની વ્યવસ્થા કરતે આવું.” દ્વારકામાં જઈને કૃષ્ણ પિતા વસુદેવને મળ્યા. હસ્તિનાપુરથી અર્જુનને તેડી લાવવા માટે મેં દાચકને મોકલ્યો છે,” પિતાને તેમણે કહ્યું, “એ આવે ત્યાં સુધી સ્ત્રીઓને સાચવજો એટલું આપને કહેવા માટે જ હું આવ્યો છું. બલદેવ વનમાં મારી વાટ જુએ છે. પૂર્વે કુરુઓને પારસ્પરિક વિનાશ મેં આ આંખોએ જોયેલો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy