________________
19૭.
કૃષ્ણ તેને વારવા દોડ્યા.
પણ એટલામાં તે ભોજ અને અન્ધક કુલ યાદવો એને ચોમેરથી ઘેરી વળ્યા હતા.
કૃષ્ણ આ બધું જોયું...
અને ઉત્પન્ન થયેલી પરિસ્થિતિમાં આમ જ થાય, આ સિવાય બીજું કશું જ ન થાય, એમ સમજીને તેમણે ક્રોધ પણ ન કર્યો!
પણ દારૂ પીને ભાન ભૂલેલા યાદવો સાત્યકિ પ્રાણ લેવા ઉદ્દત થયા છે એ જોઈને પ્રદ્યુમ્નને ગુસ્સો ચડ્યો. તે સાત્યકિની કુમકે દોડ્યો. બંને વીરોએ ડીક વાર સુધી તે આક્રમકાને પાછા હઠાવ્યા; પણ અંતે, અનેકની સામે પિતે ફક્ત બે જ હોવાને કારણે, ઠેકઠેકાણે જખ્ખી થઈને પૃથ્વી પર પડ્યા. અને મૃત્યુ પામ્યા..
- હવે કૃષ્ણ ક્રોધે ભરાયા. (તેમના વેગેશ્વરપણા સાથે આ વાતને મેળ કેવી રીતે ખવડાવ? – સાત્યકિ ઘેરાયલે જોઈને –“પરિસ્થિતિ જોતાં આમ જ થાય!'- એવું સમાધાન લઈને નિષ્ક્રિય રહ્યા. અને હવે પુત્ર મરાતાં ક્રોધે ભરાયા !)
પછી એરકે”ની મુઠ્ઠી તેમણે ભરી. તે “એરકે” વમય મુસલમાં પલટાઈ ગયાં. "
એ મુસલ વડે કૃષ્ણ જેઓ જેઓ તેમની સામે આવ્યા તેમને સૌને સંહારી નાખ્યા.
અને પછી તે અન્ધકો, ભોજો, શેને, વૃષ્ણીઓ, (યાદવોના છપ્પન કુલ હતાં – કહેવાય છે) જુદી જુદી શાખાઓના યાદવોએ પાગલ બનીને અ ન્યને સંહાર કર્યો. હિંસા અને સુરા – બેવડા કેફમાં ચકચૂર બનેલા એ યાદવેએ એકમેકને બસ મા જ રાખ્યા! પિતાએ પુત્રોને, પુત્રોએ પિતાને -કેઈને કેાઈની આંખની શરમ ન રહી! સંહારઅગ્નિમાં સૌ પતંગિયા બનીને જાણે કૂદી રહ્યા હતા. કેઈને ત્યાંથી ભાગી જવાનું પણ મન નહોતું થતું. પ્રદ્યુમ્ન તે સાત્યકિની જોડાજોડ. જ સોડ તાણીને સૂતો હતો; પણ હવે કૃષ્ણના બીજા પુત્રો અને પૌત્રો. પણ – સાબ, ચારુષ્ણ, ગદ, અનિરુદ્ધ, આદિ સૌ-ટપટપ પડવા માંડ્યા. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com