SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ અહીં શરૂઆત સાત્યકિએ કરી.. કૃષ્ણના વહાલા સાત્યકિએ... કૃતવર્માને તેણે મહેણું માર્યું. છત્રીસ વરસથી જે વાત તેને હૃદયમાં ઘોળાઈ રહી હતી, તે તેણે આજે આ પાનભૂમિ પર દારૂના ઘેનમાં એકી કાઢી : “સુતેલા પર કયે સાચે ક્ષત્રિય ઘા કરે ?” પ્રદ્યુમ્ન સાત્યકિને કે આ “તે રાતે અશ્વત્થામા અને કૃપાચાર્ય સાથે મળીને સૂતેલી પાંડવછાવણી પર તમે ઓચિંતું આક્રમણ કર્યું તે તમારું કૃત્ય ક્ષત્રિયોને શોભે એવું તે નહોતું જ !” નહતું ?કૃતવર્માએ ગુસ્સાથી પડઘો પાડ્યો, “પણ તે પછી જેના હાથ કપાઈ ગયા હતા, અને જે રણભૂમિ પર છેલ્લી ઈશ્વરપાસનામાં બેઠો હતો, તે ભૂરિશ્રવાનું માથું કાપવું એ તે ક્ષત્રિચિત જ હશે, ખરું ને ?” શરૂ થઈ રહેલ આ આન્તરવિગ્રહને દબાવવાના એક છેલ્લા પ્રયત્ન લેખે કૃષ્ણ સૌની સામે ક્રોધપૂર્વક જેવું. પણ વાત હવે ઈનાયે હાથમાં રહે એમ નહતી.. સાત્યકિએ સત્રાજિતના સ્યમંતકમણિની પાછળનો ઈતિહાસ ઉલેચવા માંડ્યો.... અને સત્યભામા રડતી રડતી અને “કેશવને કુપિત ' કરતી તેમના અંકમાં આવીને બેઠી ! પણ ત્યાં તે સાત્યકિએ વળી પાછું સુકાન બદલ્યું! છલંગ મારીને એણે ગર્જના કરીઃ “દ્રૌપદીના પાંચ પુત્રો, શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન આદિ વિરને સુપ્તાવસ્થામાં મારવાનું પાપ તે પેલા અશ્વત્થામા સાથે મળીને કર્યું . તેની આ સજા !” એમ કહીને ક્રોધમાં ભાન ભૂલેલા સાત્યકિ કૃતવર્માનું માથું ઉડાવી દીધું!-કૃષ્ણની આંખોની સામે જ !... અને પછી તે હિંસાને તેને જાણે કેફ જ ચઢયો! હિંસાના આવેશમાં આવી જઈને તેણે, જેને તેને, બસ, મારવા જ માંડ્યા! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy